લોકસભાની ચૂંટણીમા જે પ્રકારે પરિણામો જાહેર થયા તેેને જોતા સ્પષ્ટપણે કહી શકાય કે જનતા હજુ પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જ જોવા ઈચ્છે છે...મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢમાં પરિણામો ભલે ભાજપની વિરુદ્ધમાં આવ્યા હોય પરંતુ વાત જ્યારે દેશની આવે છે ત્યારે જનતાની પહેલી પસંદ તો નરેન્દ્ર મોદી જ છે..આ પરિણામો કોંગ્રેસ માટે ઘણું ખરુ કહી જાય છે.. રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં લોકસભાની ચૂંટણી લડાઈ પરંતુ જે પ્રકારે રાહુલ ગાંધીને પ્રજાએ નકારી દીધા છે..તેને જોતા કોંગ્રેસે હજુ પણ ઘણું ચિંતન કરવાની જરૂર છે..અને માત્ર કોંગ્રેસે જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ પણ ચિંતન કરવાની જરૂર છે...સાથે સાથે પાર્ટી પર પરિવારવાદ હાવી ન થાય તે માટે પણ કોંગ્રેસે કામ કરવાની જરૂર હોય તેમ લાગે છે..ત્યારે અહીં સવાલ એ છે કે શું લોકસભાની ચૂંટણીમાં કારમી રીતે હારેલી કોંગ્રેસ હવે બેઠી થઈ શકશે ખરી? શું ફરીથી કોંગ્રેસે લોકોનો વિશ્વાસ જીતી શકશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન..