લતાજી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિના વાઘ અને શિવસેનાના 'સુપ્રીમો' બાળા સાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર 2012માં થયા હતા. બાળા સાહેબનું નિધન 17 ઓક્ટોબર-2012નાં રોજ 86 વર્ષની વયે થયું
મરાઠીઓની અસ્મિતાનો નાતો શિવાજી પાર્ક
લતાજીનો શિવાજી પાર્ક મેદાનમાં અંતિમ વિધિ
2012માં બાલા સાહેબ બાદ લતાજીના અંતિમ સંસ્કાર
દેશના ઇતિહાસમાં મુંબઈના શિવાજી પાર્ક મેદાનનું જેટલું મહત્વ રાજનીતિક ક્ષેત્રે રહ્યું છે તેટલું જ યોગદાન ક્રિકેટનું રહ્યું છે. કહો કે, શિવાજી પાર્ક ક્રિકેટ અને રાજનીતિનું પૂરક રહ્યું છે. 6 ફેબ્રુ આરીએ સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મંત્રી અને પુત્ર આદિત્ય ઠાકરે સહિતનો ઠાકરે પરિવાર તો ઉપસ્થિત રહેશે જ સાથોસાથ ફિલમ જગતના એ તમામ કલાકારો જેઓ લતાજીને તાઈ, કે દીદી તરીકે ઓળખતા હતા તે તમામ ભાવભરી શ્રધાંજલિ આપશે. આ પહેલા મહારાષ્ટ્રની રાજનીતિના વાઘ અને શિવસેનાના 'સુપ્રીમો' બાળા સાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર 2012માં થયા હતા. બાળા સાહેબનું નિધન 17 ઓક્ટોબર-2012નાં રોજ 86 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી થયું હતું.
દાદરના શિવાજી પાર્કમાં બાળા સાહેબ ઠાકરેની જંગી જાહેર સભાઓ દશેરાના દિવસે થતી. જેમ દિલ્હીના રામલીલા મેદાનનું અનોખું મહત્વ છે તેટલું જ કદાચ મુંબઈના શિવાજી પાર્ક નું. આ જ મેદાન પરથી ક્રિકેટનો કક્કો શીખીને સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગ્સરકાર, સંદીપ પાટીલ, માંજરેકર, સચિન તેંદુલકર, વિનોદ કામ્બલીએ ક્રિકેટ વિશ્વમાં ડંકો વગાડ્યો. તો 1966થી 2012 સુધી મારાથી 'અસ્મિતા' અને મરાઠી માણુંસ માટે બાળા સાહેબ ઠાકરે એ સમગ્ર મહારાષ્ટ્રની રાજનીતિની બાગડોરનું સંચાલન નિવાસ સ્થાન માતોશ્રી અને શિવાજ પાર્કથી સંભાળી. ઉદ્ધવ ઠાકરે એ પણ મુખ્યમંત્રી બન્યા બાદ, ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં જ શપથ ગ્રહણ સમારોહ યોજ્યો હતો.
દાદરના શિવાજી પાર્ક મેદાનની બિલકુલ સામે જ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ ( મનસે ) રાજ ઠાકરે રહે છે. લતાજી સાથે માતુતુલ્ય સંબંધ ધરાવતા ઠાકરે પરિવારના રાજ ઠાકરે શનિવારે પણ લતાજીના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. લતાજીના નિધન નાં સમાચાર મળતા જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મંગેશકર પરિવાર સાથે મળીને પરામર્શ કર્યો હતો. ત્યાર બાદ તુરંત જ નિર્ણય લેવાયો કે, લતા મંગેશકરના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક મેદાનમાં થશે. સવારથી અહીં ક્રિકેટ ખેલાડીઓ રમતા હતા. BMC એ તુરંત જ ક્રિકેટ પ્રેમીઓને મેદાનની બહાર મોકલી દઈ,મેદાનનો કબજો લઇ, સાંજના અંતિમ સંસ્કાર માટેની આનુષાંગિક તૈયારીઓ આરંભી દીધી.
શિવાજી પાર્ક મેદાન મરાઠીઓની અસ્મિતાનું પ્રતિક કહેવાય છે ત્યારે, બાળા સાહેબ પછી લતા મંગેશકરના અહીં અંતિમ સંસ્કાર થવા તે સમગ્ર મહારાષ્ટ્ર અને મરાઠીઓની અસ્મિતાને ઓજસ્વી રાખવાનો પ્રયાસ કહી શકાય.