દૂધ સ્વાસ્થ્ય માટે જેટલું લાભકારક છે તેટલા જ દૂધમાંથી બનેલા પદાર્થ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધમાંથી બનતું પનીર ફક્ત ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એટલું જ નહીં, તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.
પનીર ડાયટમાં કેમ સામેલ કરવામાં આવે છે
પનીર આપણા શરીર માટે ખુબ લાભદાયી
ખોરાકને પચાવવા માટે કરે છે મદદ
પનીરમાં ભરપૂર માત્રામાં પ્રૉટીન મળે છે, જે માંસપેશીઓને મજબૂત બનાવે છે. પનીરમાં વિટામિન-ડી ભરપૂર માત્રામાં મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રૉલ અને બ્લડ પ્રેશર નૉર્મલ રહે છે. શુગરના દર્દીઓ માટે તે બેસ્ટ ડાયટ છે, તેમાં રહેલા કૅલ્શિયમ, પ્રૉટીન, ફૉસ્ફરસ, ફોલેટ જેવા ન્યૂટ્રીઅન્ટ્સ પ્રેગ્નન્ટ લેડી અને બાળકોની હેલ્થ સારી રાખે છે.
પાચનતંત્ર મજબૂત કરે છે
પનીરમાં ડાયટરી ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. પનીર પાચનતંત્રને મજબૂત કરે છે.
હાડકાં મજબૂત કરે છે
પનીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે. રોજ પનીરનું સેવન કરવાથી હાડકાંના દુખાવામાં રાહત મળે છે અને હાડકાં મજબૂત બને છે.
માનસિક વિકાસ કરે છે
પનીરમાં ઓમેગા-૩ મળે છે, જે માનસિક વિકાસમાં સહાયક બને છે. ઓમેગા-૩ એવું તત્ત્વ છે, જે બહુ ઓછી પ્રોડક્ટમાંથી મળી આવે છે.
પનીર એનર્જી આપે છે
પનીરમાં એવા કેટલાય ગુણ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પનીરથી આપણા શરીરને તરત એનર્જી મળે છે. આ શારીરિક નબળાઇ દૂર કરે છે.
દાંતને મજબૂત બનાવે છે
પનીર કૅલ્શિયમનો એક સારો સ્રોત છે, આથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.
વજન કંટ્રોલ કરે છે
જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે પનીર ખૂબ જ ફાયદાકારક છે. તે ભૂખને શાંત કરે છે અને વજન કંટ્રોલમાં રાખે છે.
પનીરની સાઇડ ઇફેક્ટ
પનીર જો સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો તે ફાયદાકારક છે પણ જો વધારે ફેટવાળું વધારે પનીર ખાવામાં આવે તો નુકસાન પણ કરી શકે છે. પનીર વધારે ખાવાથી કૉલેસ્ટ્રૉલ લેવલ વધી જાય છે. જો પનીર બનાવવા માટે દૂધ પેશ્ચુરાઇઝ કરેલું નથી કે પનીર કાચું ખાઇ રહ્યા છો તો બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે.