સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આજે CBIને જ ઘેરતા તેની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. ચીફ જસ્ટિસે કહ્યું કે, જ્યારે કોઈ મામલો રાજનીતિ સાથે જોડાયેલો નથી હોતો ત્યારે CBI ખુબ સરાહનીય કામગીરી કરે છે. પરંતુ જ્યારે રાજનીતિ સાથે જોડાયેલો કોઈ સંવેદનસિલ મામલો સામે આવે છે ત્યારે તેની તપાસ ન્યાયિક તપાસના ધોરણો પર પૂર્ણ નથી કરી શકતી.
જસ્ટિસે CBIમાં અસમાનતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી
ડીપી કોહલી મેમોપિયલ લેક્ચરના 18મી આવૃતિમાં ચીફ જસ્ટિસે કહ્યું કે, સીબીઆઈનું પોતાનું એક વિશેષ સ્થાન છે. પરંતુ તેની નિષ્ફળતાઓએ વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે. આ સાથે જ ચીફ જસ્ટિસે CBIમાં અસમાનતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યુ કે, કારોબારીમાં 15 જગ્યાઓ ખાલી છે. જ્યારે CBIની ટેક્નિકલ યૂનિટમાં પણ 28 ટકા જગ્યાઓ પર ભરતી જ નથી થઈ. આ સિવાય પણ એડન્સીના કાયદા વિભાગમાં 50 ટકા જગ્યાઓ ખાલી છે. જેના કારણ કામનું ભારણ વધતું જઈ રહ્યું છે.
સીબીઆઈની સ્વાયતતાને અસર
સુપ્રીમ કોર્ટે વિનીત નારાયણ મામલામાં સીબીઆઈ ડિરેક્ટર પદ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ બધા કારણોથી સીબીઆઈની સ્વાયતતાને અસર કરી રહ્યા છે. ગોગોઇએ વધુમાં કહ્યું કે, ન્યાયતંત્ર સતત સીબીઆઈની સ્વતંત્રતા જાળવવા પ્રયાસ કરે છે. સીબીઆઈને રાજકીય પ્રભાવથી બચાવવા કોર્ટે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમણે કહ્યું કે સીબીઆઈને સીએજી જેવા કાયદાકીય અધિનિયમ દ્વારા સ્વાતંત્ર્ય મેળવવું જોઈએ.