કોઇ પણ વ્યક્તિના નિધન બાદ તેરમુ કરવામાં આવે છે. બ્રાહ્મણ ભોજ કરાવવામાં આવે છે તેની પાછળ એક ખાસ કારણ છે.
મૃત્યુ પછી કેમ 13 જ બ્રાહ્મણ જમાડવામાં આવે છે?
આત્મા મૃત્યુના 13 દિવસ સુધી ઘરે જ રહે છે
પિંડદાનથી આત્માને યમલોક સુધી જવાની તાકાત મળે છેે
મૃત્યું પછીની વિધી ખુબ મહત્વની હોય છે. જો તે ન કરવામાં આવે તો આત્મા ભટકરી રહે છે તેવું માનવામાં આવે છે. ગરુડપુરાણમાં જીવન અને મૃત્યુ સિવાય મોત બાદ આત્મા બીજા લોકમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેને લઇને પણ વાત કરવામાં આવી છે. તેરમાના દિવસે 13 બ્રાહ્મણોને જ કેમ જમાડવામાં આવે છે?
પિંડદાનથી આત્માને મળે છે તાકાત
ગરુણ પુરાણ અનુસાર મોત બાદ મૃતકની આત્મા 13 દિવસ સુધી પોતાના ઘરમાં જ હોય છે. 13 દિવસ સુધી આત્મામાં એટલી શક્તિ નથી હોતી કે તે યમલોક જઇ શકે. 10 દિવસ સુધી પિંડદાન કરીને આત્માને તાકાત આપવામાં આવે છે. જેથી તે યમલોક જઇ શકે. જે બાદ 3 દિવસમાં આત્મા બેહદ સુક્ષ્મ શરીર બનાવે છે અને તે યમલોકની યાત્રા પર નીકળે છે. એટલા માટે મૃત્યુ બાદ તેરમાની વિધિ કરવામાં આવે છે.
કેમ બ્રાહ્મણને કરાવે છે ભોજન
પિંડદાન ન કરવામાં આવે તો યમદૂત આત્માને યમલોક લઇને જાય છે. આવામાં આત્માની આ યાત્રા ખુબ કષ્ટદાયી હોય છે. આ પ્રવાસને આસાન બનાવવા માટે ઘણા પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે આત્માની શાંતિ માટે બ્રાહ્મણ ભોજ કરાવવામાં આવે છે. 13 દિવસ આત્મા ઘરે રહે છે માટે 13 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે.
13 દિવસ સુધી મૃતક માટે થાળી પણ પીરસવામાં આવે છે. આવું મૃતકના સન્માનમાં કરવામાં આવે છે. કારણકે મર્યા બાદ પણ 13 દિવસ સુધી ઘરમાં જ રહે છે. c