આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે તો જાણો તેમની ખાસ આદતોને વિશે.
દેશના પીએમનો જન્મદિવસ
17 સપ્ટેમ્બરે દેશના પીએમનો જન્મદિવસ
જાણો શા માટે જમણા કાંડા પર બાંધે છે કાળો દોરો
સામાન્ય રીતે આપણે લોકો ખરાબ નજરથી બચવા માટે કાળા દોરાનો ઉપયોગ કરે છે. બાળપણથી જ દાદી અને નાનીની શિખામણને નિભાવતા કાળો દોરો લોકો બાંધે છે પરંતુ શું તમે જાણો છો કે લોકો કાળો દોરો કેમ બાંધે છે. કાળો દોરો પહેરવો અથવા કાળો ટીકો લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે કેટલાક લોકો આને અંધવિશ્વાસથી વધારે કશું માનતા નથી. પરંતુ શું તમે જાણો છો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં કાળો દોરો શું કામ બાંધે છે.
ક્યાંથી આવે છે પીએમના હાથમાં પહેરાતો કાળો દોરો
જો તમે ના જાણતા હોવ કે આપણાં વડાપ્રધાન હાથમાં કાળો દોરો કેમ બાંધે છે તો આજે અમે તમને અહીં જણાવીએ છીએ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નરેન્દ્ર મોદીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારબાદ એમને પોતાની અંદર ઘણા ફેરફાર કર્યા છે. પણ એમણે જમણા હાથમાં બાંધેલો કાળો દોરો ક્યારેય છોડ્યો નથી. છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમય થઇ ગયો. નરેન્દ્ર મોદીના હાથમાં રહેલો કાળો દોરો વડનગરમાં આવેલા વારાહી માતાના મંદિરમાંથી દરેક નવરાત્રીમાં આવે છે. પીએમ મોદી વર્ષમાં બે વખત વારાહી માતાના મંદિરમાંથી આવતો કાળો દોરો બદલે છે.
માં અમ્બાના ખૂબ મોટા ભક્ત છે પીએમ
પીએમ મોદી માં અમ્બાના ખૂબ મોટા ભક્ત છે. આ કારણે તેઓ વર્ષની બે નવરાત્રી આસો માસમાં આવતા શારદીય નવરાત્ર અને ચૈત્ર માસમાં આવતા ચૈત્રી નવરાત્ર દરમિયાન ઉપવાસ અને અનુષ્ઠાન કરે છે. અહીં બિરાજતા માં દુર્ગા પ્રત્યે પીએ મોદી અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને અહીંના પૂજારી સતત અભિમંત્રિત કાળો દોરો પીએમ મોદીને મોકલાવતા રહે છે. કદાચ આ જોઈને જ હવે ભાજપના કેટલાય યુવાન કાર્યકર્તાઓ જમણા હાથમાં કાળો દોરો બાંધતા થઈ ગયા છે.