BJP vs BJP / ભાજપ સરકાર વિરૂધ્ધ કેમ ભાજપના જ સાંસદોએ ઉઠાવ્યા સવાલ

Why BJP MPs raise questions against BJP government Gujarat

રાજ્યની ભાજપ સરકાર પર પક્ષના સાંસદોએ સવાલ ઉઠાવ્યાં છે. ભાજપના સાંસદોએ જ સરકારી તંત્રને આડેહાથ લીધા છે. અલગ અલગ મુદ્દાઓ પર 3 સાંસદોએ સવાલો ઉઠાવ્યા છે.ગઈકાલે પરબત પટેલે પાકવીમા પર સવાલ કર્યાં હતા. લોકસભામાં પરબત પટેલે વીમાકંપની પર આરોપ લગાવ્યા હતા. વીમાકંપનીઓ ખેડૂતોનું ગાઠતી ન હોવાની ફરિયાદ કરી હતી . આણંદના મિતેષ પટેલે પણ બુલેટ ટ્રેનનો મુદ્દો ઉઠાવ્યો છે. સત્રના શૂન્યકાળમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સવાલ કર્યા હતા. જમીન સંપાદનમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની રજૂઆત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ