રાજ્યની ભાજપ સરકાર પર પક્ષના સાંસદોએ સવાલ ઉઠાવ્યાં છે. ભાજપના સાંસદોએ જ સરકારી તંત્રને આડેહાથ લીધા છે. અલગ અલગ મુદ્દાઓ પર 3 સાંસદોએ સવાલો ઉઠાવ્યા છે.ગઈકાલે પરબત પટેલે પાકવીમા પર સવાલ કર્યાં હતા. લોકસભામાં પરબત પટેલે વીમાકંપની પર આરોપ લગાવ્યા હતા. વીમાકંપનીઓ ખેડૂતોનું ગાઠતી ન હોવાની ફરિયાદ કરી હતી . આણંદના મિતેષ પટેલે પણ બુલેટ ટ્રેનનો મુદ્દો ઉઠાવ્યો છે. સત્રના શૂન્યકાળમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સવાલ કર્યા હતા. જમીન સંપાદનમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની રજૂઆત કરી છે.
પાક વીમાની કંપનીઓ સામે સાંસદ પરબત પટેલે લોકસભામાં સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લોકસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, કમોસમી વરસાદથી મગફળી, જુવાર, બાજરા સહિતના તમામ પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકારોનો ઈરાદો સારો પણ વીમા કંપનીઓ બેજવાબદાર છે. કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. પાક વીમા યોજના ખૂબ સારી છે પણ કંપનીઓ બેજવાબદાર છે. કંપનીઓના બેજવાબદાર વર્તનના કારણે સર્વેમાં મુશ્કેલી થઈ છે.
બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અન્યાય
આણંદના મિતેષ પટેલે પણ બુલેટ ટ્રેનનો મુદ્દો ઉઠાવ્યો છે. સત્રના શૂન્યકાળમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સવાલ કર્યા હતા. જમીન સંપાદનમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની રજૂઆત કરી છે.આ મામલે 1,000 ખેડૂતોએ એકસાથે મળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં અલગ અલગ 123 પિટિશનો દાખલ થઈ હતી. આ મામલે 1,000 ખેડૂતોએ હાઈકોર્ટમાં એક ઍફિડેવિટ દાખલ કરી હતી અને કહ્યું હતું કે જમીન સંપાદન માટે તેમણે સંમતિ આપી નથી.
પોલીસના કારણે ગુજરાતની આબરૂ લજવાતી હોવાની ફરિયાદ કરી છે. ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે જેમાં પોલીસ દ્વારા ગેરવર્તુંણક ભ્રષ્ટાચાર તથા અણછાજતું વર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રના કારણે પારદર્શક સરકાર અને ભ્રષ્ટાચારમુક્ત સરકારના દાવા ઉપર અનેક સવાલો પણ ઉભા થયા છે. વાત જાણે એમ હતી કે ટૂંક સમય પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પાસે વિદેશથી આવતા મુસાફરોને પોલીસ દ્વારા કનડગત કરવામાં આવી રહી હતી.
જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જે વીડિયો પ્રમાણે પોલીસની આ કાર્યવાહીના કારણે 5 વર્ષની બાળકી રડવા માંડી હતી. જોકે પોલીસ દ્વારા ખાખીનો રોફ જમાવવાનો આ પહેલો કિસ્સો નથી પરંતુ આ વખતે પોલીસ દ્વારા એક કે બીજા કારણસર NRI પરિવારોને કાર્યવાહીના નામે કનડગત કરવામાં આવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો.