“ગુજરાત મોડેલ દિવાલ” હાલ ગુજરાતમાં બર્નીંગ ઈશ્યુ છે અને તેના ધૂમાડા આખા ભારતમાં ફેલાઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈ આ ચર્ચામાં ઝંપલાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના ઝુપડાં જોઈ ન જાય એટલે દિવાલ બનાવવામાં આવી છે. ત્યારે શંકરસિંહ વાઘેલા પણ આ દિવાલ જોવા પહોંચ્યા હતા.
અહીં રહેનાર લોકો ટેક્ષ પેયર છે-વાઘેલા
તમે આપડે દેશ વેચી નાખશો -વાઘેલા
ટ્રમ્પ તો પોતાનું માર્કેટિંગ કરવા માટે આવે છે-વાઘેલા
ટ્રમ્પ-મોદી અમદાવાદ મુલાકાતની વૈશ્વિક લેવલે ચર્ચા છે. ત્યારે અમદાવાદમાં કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા અને દિવાલ પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. એરોપોર્ટ પાસે સરણીયા વાસની ગરીબી ડોનાલ્ડ ટ્રમ્પ જોઈ ન જાય તે માટે દિવાલ બનાવી દેવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલાએ સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી
આજે શંકરસિંહ વાઘેલા એરપોર્ટ પાસે સરણીયા વાસમાં પહોંચ્યા હતા. નવી બનાવેલી “ગુજરાત મોડેલ દીવાલ” ના સ્થળે પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી હતી.
મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઇ શંકરસિંહ વાઘેલાનુ નિવેદન
બંને દેશના મહાનુભાવનું આગમન સ્વીકારીય છે. આ દિવલ પાછળ શુ છુપાવવા માંગો છો? દિવાલથી ઢાંકીને શું સંદેશ આપવા માંગો છો? ધાર્યું હોત તો બધા મકાન બની ગયા હોત. અહીં રહેનાર લોકો ટેક્ષ પેયર છે. તમે આપડે દેશ વેચી નાખશો. ટ્રમ્પ તો પોતાનું માર્કેટિંગ કરવા માટે આવે છે.