આલ્કોક એશડાઉનને બચાવવા મોદી સરકાર કેમ પ્રશ્ન નથી ઉઠાવી રહી તે અંગે ખરેખર સામાન્ય જનતા અને ભાવનગરવાસીઓ તેમજ ગુજરાતીઓને પ્રશ્ન ઉઠી રહ્યા છે. એવું તે શું છે કે સરકાર યશકલગી સમા અને 257 જહાના જનેતા આલ્કોક એશડાઉનને બચાવવા કોઈ જ કોશિશ નથી કરી રહી? આવો જાણીએ કે શું છે મામલો કોની તુંતુ મેંમેંમાં આ આંતરાષ્ટ્રીય ઉદ્યોગ પડી ભાંગ્યો?
આલ્કોક એશડાઉનના જહાજોને આર્થિક ગ્રહણ
નેવીએ વધુ પૈસા ન ચૂકવતા કામ બંધ
આલ્કોક એશડાઉન પાસે 5 જહાજોનો ઓર્ડર
આલ્કોક એશડાઉનના 5 જહાજોને આર્થિક ગ્રહણ લાગ્યું છે. નેવીએ લોખંડના વધુ પૈસા ન ચૂકવતા કામ બંધ કરવામાં આવ્યું છે. આલ્કોક એશડાઉન પાસે નેવીના 5 જહાજોનો ઓર્ડર છે.
2013થી આલ્કોક એશડાઉનને તાળા
રાજ્ય સરકારના એકમને 2013થી તાળા લાગેલા છે. ખોટ જતા રાજ્ય સરકારે એશડાઉનને બંધ કરવા કહ્યું હતું. નેવીએ 5 જહાજો માટે 500 કરોડથી વધુનું કામ આપ્યું હતું. જોકે લોખંડના ભાવ વધતા એશડાઉને વધુ રકમની માગ કરી હતી. પરંતુ નેવીએ વધારાની રકમ ન ચૂકવતા વર્ષોથી કામ અટક્યું છે. 1 જહાજ 90 ટકા, 4 જહાજનું કામ 75 ટકા થઇ ચુક્યુ છે. એશડાઉને 2012માં INS મકર જહાજ બનાવ્યું છે. હાલ ચીન સાથેની સ્થિતિને લઇ INS મકર દરિયામાં છે.
એકબીજા પર કેમ લગાવાઈ રહ્યા છે આરોપો?
નેવીએ લોખંડના વધુ પૈસા ન ચૂકવતા કામ બંધ કરવામાં આવ્યું હોવાનું રટણ કરાઈ રહ્યું છે સામે પક્ષે નેવી દ્વારા પણ એમ જ કહેવાઈ રહ્યું છે કે અમને રૂપિયા ફાળવો કે ગેરંટી આપો. આ ઘટના બની ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી પરંતુ હાલ ત્યાં ભાજપ સરકાર છે. આનંદીબહેન પટેલની જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નેવી સાથે મધ્યસ્થી કરીને એક જહાજનો ઓર્ડર પણ પૂરો કરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ સરકાર બદલાઈ અને ત્યારથી આ ખટલો અટકેલો પડ્યો છે. કેન્દ્રમાં મનસુખ માંડવિયા જ શિપિંગ મીનિસ્ટર છે તેમ છતાં ગુજરાતને કેમ ભોગવવાનું? તેવા પર્શ્નો ઉઠી રહ્યા છે.
2013થી આલ્કોક એશડાઉનને તાળા લાગેલા છે
2013થી આલ્કોક એશડાઉનને તાળા લાગેલા છે. રાજ્ય સરકારના એકમને 2013થી તાળા લાગેલા છે. ખોટ જતા રાજ્ય સરકારે એશડાઉનને બંધ કરવા કહ્યું હતું. નેવીએ 5 જહાજો માટે 500 કરોડથી વધુનું કામ આપ્યું હતું. જોકે લોખંડના ભાવ વધતા એશડાઉને વધુ રકમની માગ કરી હતી. પરંતુ નેવીએ વધારાની રકમ ન ચૂકવતા વર્ષોથી કામ અટક્યું છે. 1 જહાજ 90 ટકા, 4 જહાજનું કામ 75 ટકા થઇ ચુક્યુ છે. એશડાઉને 2012માં INS મકર જહાજ બનાવ્યું છે. હાલ ચીન સાથેની સ્થિતિને લઇ INS મકર દરિયામાં છે.
કાયમી કર્મચારીઓને ભથ્થા વગેરે આપીને છુટા કરી દેવાયા
આ કેસ હાલ NCLT (National Company Law Tribunal)માં ચાલી રહ્યો છે. કાયમી કર્મચારીઓને ભથ્થા વગેરે આપીને છુટા કરી દેવાયા છે. પણ હજુ આ સમયસ્યાનો હલ નથી આવી રહ્યો. ભાજપની સરકાર કેન્દ્ર અને રાજ્ય બંનેમાં છે વિકાસની વાતો કરાય છે. સ્પેશ્યલ સર (special investment rigona) જાહેર કરીને વિદેશી રોકાણકારોને આકર્ષવાની વાતો કરે છે. બગોદરા પાસે ફિલ્મસિટી બનાવી છે. ત્યારે આ ચાલુ ઉદ્યોગને તાળાબંધી કરવાનો શો મતલબ છે. વિશ્વકક્ષાએ અલંગને વિકસાવવાની વાતો કરતી મોદી સરકાર હાલ બંધ પડેલા આલ્કોક એશડાઉનને કેમ તાળા મારી દીધા છે? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
નેવીએ 5 જહાજો માટે 500 કરોડથી વધુનું કામ આપ્યું હવે શું?
ભાવનગર શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકીંગ બન્ને ક્ષેત્રે દુનિયાભરમાં ખ્યાતનામ હતુ. આલ્કોક એશડાઉનમાં સાડા ચાર દાયકામાં 257 જહાજો બનવાયા છે. તો બીજી તરફ અલંગ જહાજવાડે હજારો જહાજ અંતિમ સફરે આવી તૂટી ચૂક્યા છે. અલંગનો શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીની થપાટો ખાતા ખાતા પોતાનું અસ્તિત્વ ગુજરાત સરકારને સહારે છે.
ગુજરાતના મનસુખ માંડવિયા કેન્દ્રમાં તો પણ નથી મળી રહી રાહત
257 જહાજના જન્મ સ્થળ આલ્કોક એશડાઉનનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે. રાજકીય હૂંસાતુંસીમાં ભાવનગરના વધુ એક જાજરમાન ઉદ્યોગનો ભોગ લેવાયો છે. કેન્દ્રની સરકારમાં શિપિંગ મિનિસ્ટર ભાવનગર જિલ્લાના મનસુખ માંડવીયા છે ત્યારે દુનિયાભરમાં અનેક ભવ્ય જહાજો તરતા કરનારો ભાવનગરનો શિપ બિલ્ડીંગ ઉદ્યોગ મરણ પથારીએ પટકાઈ જાય તે અત્યંત દુઃખદ અને નિરાશાજનક બાબત છે.
આલ્કોક એશડાઉનના ભવ્ય ભૂતકાળથી લઈ વરવા વર્તમાન સુધીની વિગતો પર દ્રષ્ટિપાત કરીએ તો, આલ્કોક એશડાઉનને 1973માં પાર્લામેન્ટમાં ખરડો પસાર કરીને ભારત સરકારે પોતાના હસ્તક લીધુ હતુ. આ ઉદ્યોગ 1994થી પૂર્ણ રીતે રાજ્ય સરકાર હસ્તક આવી ગયો હતો. મધ્યમ કદના જહાજો બાંધવાના શિપ બિલ્ડીંગ ક્ષેત્રે આલ્કોકનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયુ છે.
1975થી આ યુનિટની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી
આ એકમે ક્વોલીટી, વર્કમેનશીપ અને ઈકોનોમી માટે ઘણી નામના મેળવી જહાજ અને વહાણવટા ઉદ્યોગમાં ક્રાંતિ સર્જી હતી. આલ્કોકના જહાજની ગુણવતાને દુનિયાભરની ખ્યાતનામ સર્વેયર કંપનીઓ લોઈડસ, અમેરિકન બ્યુરો ઓફ શિપીંગ, ડી.એન.વી. સહિતનાએ વખાણી હતી. 1975થી આ યુનિટની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી ત્યારથી અહીં લગલગાટ જહાજો બનાવાતા રહ્યા છે.
100 જહાજો બાંધવાનો વિક્રમ સર્જ્યો હતો
17 ઓક્ટોબર 1985ની વહેલી પરોઢે સમુદ્રની ભરતીમાં આલ્કોકે એક સ્ટીલ જહાજને તરતુ મૂક્યું તે સાથે આ કંપનીએ 100 જહાજો બાંધવાનો વિક્રમ સર્જ્યો હતો. આ 100 જહાજોમાંથી 30 જહાજ વિદેશોમાં તેમની માગણી મૂજબ તૈયાર કરીને અપાયા હતા. જ્યારે જીએમબીના 4 જહાજના ઓર્ડર પૈકીના ત્રીજા જહાજ સાથે આલ્કોકે 100 જહાજના જન્મ સ્થળ બનવાની ખ્યાતિ મેળવી હતી.