ભોલેનાથની આરતીમાં ઘણી ચીજોનો ઉપયોગ થાય છે. પરંતુ એમાં ભસ્મને સૌથી ખાસ માનવામાં આવે છે. એવામાં જો તમને ખબર નથી કે ભગવાન ભોલેનાથને વિચિત્ર સામગ્રી જ કેમ પ્રિય હોય છે અને એ ભસ્મને કેમ આટલી પસંદ કરે છે તો જાણો એક પૌરાણિક કથા જેમાં એનો રાઝ છુપાયેલો છે.
કહેવાય છે કે જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઇ ગઇ અને તેમ છતા શિવનો ગુસ્સો ચાલુ રહ્યો ત્યારે શ્રી હરિએ સતીના શરીરને ભસ્મમાં પરિવર્તન કરી દીધું. શિવએ વિરહની અગ્નિમાં ભસ્મને જ સતીની અંતિમ નિશાની તરીકે શરીર પર લગાવી દીધી. પહેલા ભગવાન શ્રી હરિએ દેવી સતીના શરીરને છિન્ન ભિન્ન કરી દીધું હતું. જ્યાં જ્યાં એમના અંગ પડ્યા ત્યા શક્તિપીઠોની સ્થાપના થઇ. પરંતુ પુરાણોમાં ભસ્મનું વિવરણ પણ મળ્યું છે.
ભગવાન શિવના તન પર ભસ્મ લગાવવનો બીજો એક રાઝ એ પણ છે કે રાખ વિરક્તિનું પ્રતીક છે. કથાઓના માધ્યમથી એમનું રહેવાનું એક સામાન્ય સન્યાસી જેવું લાગતું હતું. એક એવા ઋષિ જે ગૃહસ્થીનું પાલન કરતા મોહ માયાથી દૂર રહે છે અને સંદેશ આપે છે કે અંત સુધી બધુ રાખ થઇ જશે. એક રહસ્ય એ પણ હોઇ શકે છે કે ભગવાન શિવને વિનાશક પણ માનવામાં આવે છે. બ્રહ્મા જ્યાં સૃષ્ટિનું નિર્માણ કરે છે તો વિષ્ણુ પાલન પોષણ કરે છે. પરંતુ જ્યારે સૃષ્ટિમાં નકારાત્મકતા વધી જાય છે તો ભગવાન શિવ નાશ કરી નાંખે છે.
વિધ્વંસ એટલે કે સમાપ્તિ અને ભસ્મ આ નાશનું પ્રતીક પણ છે. શિવ હંમેષા યાદ અપાવે છે કે પાપના રસ્તે ચાલવાનું છોડી દો નહીં તો અંતમાં બધું રાખ થઇ જશે. શિવના શરીર પર ભસ્મ લગાવવાનો અર્થ એ છે કે શરીર જેની પર આપણે ઘમંડ કરીએ છીએ જેની સુવિધા અને રક્ષા માટે આપણે ખબર નહીં શું શું કરીએ છીએ એક દિવસ શરીર જ ભસ્મ સમાન થઇ જશે.