બૃહસ્પતિવાર એટલે કે ગુરુવારને ખૂબ શુભ દિવસ માનવામાં આવે છે. આટલું જ નહીં બ્રહ્માંડમાં બધા 9 ગ્રહોમાંથી ગુરુવારનો ગ્રહ જ સૌથી ભારે માનવામાં આવે છે. આટલું જ નહીં ગુરુવારનો દિવસ લક્ષ્મીનારાયણનો પણ વાર કહેવાય છે. આ દિવસે વર્જિત કાર્ય કરવાથી લક્ષ્મીજી અને પ્રભુ વિષ્ણુ બંને નારાજ થઇ જાય છે.
બૃહસ્પતિ દેવની પૂજા કરવાને કારણે એને બૃહસ્પતિવાર એટલે કે ગુરુવાર કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી ગુરુવારે કેટલાક એવા કામ છે જેને આ દિવસે કરવાની ના પાડવામાં આવી છે. આ દિવસે જે કાર્યોને કરવાથી ઘરમાં હળવાશ આવે છે એને વર્જિત માનવામાં આવી છે.
તમારા ઘરમાં વૃદ્ધોને કહેતા સાંભળ્યું હશેકે ગુરુવારે મહિલાઓ વાળ ધોવા જોઇએ નહીં. પરંતુ શું તમને એની પાછળનું કારણ ખબર છે? જો ના ખબર હોય તો આજે તમને જણાવીએ આ પાછળનું કારણ
કોઇ પણ મહિલાના સંતાન અને તેના પતિનું પરિબળ બૃહસ્પતિ માનવામાં આવે છે. જોવામાં આવે તો એકલો ગુરુવારનો દિવસ એવો છે જે સંતાન અને પતિ બંનેને અસર કરીને નુકસાન પહોંચાડે છે.
જો આ દિવસે કોઇ મહિલાએ વાળ ધોઇ નાંખ્યા તો એનો ગુરુ નબળો થઇ જશે અને સંતાન અને પતિની ઉન્નતિમાં અવરોધો ઊભા થશે.
ગુરુવારે વાળ ધોવાથી પતિ અને સંતાનના જીવનમાં ધનની સમસ્યા આવે છે તથા સખ સમૃદ્ધિના ક્ષેત્રોમાં પણ અસફળતા મળે છે.