જેવી રીતે દરેક ધર્મ અને જ્યોતિષમાં માંગલિક કાર્યો માટે ચોક્કસ સમય અને શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે તેવી રીતે અશુભ સમય પણ કયો છે તે જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં શુભ કામો કરવાની મનાઇ કરવામાં આવી છે. આ સમયે જો કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે તેવુ કહેવાય છે. ત્યારે આગામી દિવસોમાં હોળાષ્ક બેસશે. એટલે કે આઠ દિવસના સમૂહને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી . પરંતુ દેવી દેવતાઓની ઉપાસના માટે આ દિવસોને શુભ માનવામાં આવે છે.
10માર્ચથી હોળાષ્ટક
17 ફેબ્રુઆરીથી ફાગણ માસનો પ્રારંભ થઇ ગયો છે આ મહિનાના અંતિમ દિવસમાં એટલે કે ફાગણની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ આ અગાઉ શુક્લ રક્ષના આઠમથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે. જે હોલિકા દહન સાથે જ પૂર્ણ થાય છે. આ 8 દિવસોમાં કોઇ શુભ કાર્ય કરવામાં આવતા નથી. આ વર્ષે હોલાષ્ટક 10મી માર્ચ 2022થી શરૂ થશે અને 17મી માર્ચ 2022ના રોજ સમાપ્ત થશે.
હોળાષ્ટકમાં આ કામ ન કરવું
હોલાષ્ટકના 8 દિવસ દરમિયાન, રાજા હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે સખત ત્રાસ આપ્યો હતો. છેલ્લા દિવસે તેને હોલિકા દહન દરમિયાન જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. તેથી આ 8 દિવસોમાં કોઈ શુભ કાર્ય ન કરો અને ભગવાનની ભક્તિમાં મહત્તમ સમય પસાર કરો. હોલાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે, સાથે જ આકસ્મિક મૃત્યુના જોખમ પણ ટળી જાય છે.
આ શુભ કાર્ય ભૂલથી ન પણ ન કરશો
હોલાષ્ટક દરમિયાન હિંદુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારો જેમ કે લગ્ન, મુંડન સહિત કોઈપણ શુભ કાર્ય કરતા નથી.
ઘર-કાર, સોનું ખરીદો. નવો ધંધો પણ શરૂ કરાય નહી
નવદંપતીઓને ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાઈ છે.
જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ.
માંગલિક કાર્ય કેમ નથી કરાતા ?
જ્યોતિષના જણાવ્યા અનુસાર હોળાષ્ટકના દિવસોમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ફાગણ શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કરતી વખતે ભગવાન શિવે કામદેવને બાળીને રાખ કરી દીધી હતા. કારણ કે કામદેવને પ્રેમના દેવતા માનવામાં આવતા હતા, જેના કારણે ત્રણે લોકમાં શોકનો માહોલ હતો. તેની પત્ની રતિએ પછી ભગવાન શિવની માફી માંગી, ત્યારબાદ શિવે કામદેવને પુનર્જીવિત કરવાની ખાતરી આપી હતી.