રેલવે ટ્રેક પર પથ્થરો નાખવાના મુખ્ય બે કારણો છે. પ્રથમ એ કે તે રેલવેના ટ્રેકને જકડીને રાખે છે અને તેને ફેલાવવા દેતા નથી. ટ્રેનનું વજન ખૂબ જ ભારે હોય છે.
પથ્થર ટ્રેકને જકડીને રાખે છે અને તેને ફેલાવવા દેતા નથી
આ પથ્થરોને ટ્રેક બલાસ્ટ કહેવામાં આવે છે
પથ્થર પર ટ્રેક અને સ્લીપર્સ રાખવામાં આવે છે
રેલ્વેમાં મુસાફરી કરતા સમયે તમને સ્ટેશન અથવા રસ્તામાં વિવિધ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે જે જોઈને તમે વિચારો છો કે તેનું રેલવેની કામગીરી સાથે શું કામ હશે. એક એવો જ સવાલ લોકોને રેલવેના પાટા પર રહેલા તીક્ષ્ણ પથ્થરો જોયા બાદ થાય છે. આ પથ્થરોનું કામ શું હોય છે. જો આ પથ્થરો ન હોય તો ટ્રેન ચલાવવામાં શું મુશ્કેલી થશે. આવા કેટલાક પ્રશ્નો તમારા મનમાં પણ આવતા હશે. તમને સૌથી પહેલા જણાવી દઈએ કે આ પથ્થરોને ટ્રેક બલાસ્ટ (track ballast)કહેવામાં આવે છે. તેના ઉપર જ ટ્રેક અને સ્લીપર્સ રાખવામાં આવે છે.
रेलवे ट्रैक पर गिट्टी बिछाने के पीछे क्या है वजह, भारतीय रेल क्यों करती है समय-समय पर गिट्टी की देखभाल?
— Ministry of Railways (@RailMinIndia) May 12, 2022
રેલવે ટ્રેક પર પથ્થરો નાખવાના મુખ્ય બે કારણો છે. પ્રથમ એ કે તે ટ્રેકને જકડીને રાખે છે અને તેને ફેલાવવા દેતા નથી. ટ્રેનનું વજન ખૂબ જ ભારે હોય છે અને પછી તેમાં લોકોનું વજન પણ જોડાય છે. જ્યારે ટ્રેન આટલા વજન સાથે ચાલે છે, ત્યારે પાટામાં વાઇબ્રેશન થાય છે, જેના કારણે તે ધીમે ધીમે ફેલાવા લાગે છે. આ રીતે આ પથ્થરો કામમાં આવે છે, જે તેને જકડી રાખે છે અને તેને ફેલાતા અટકાવે છે. જો તમે વિચારી રહ્યો છો કે ગોળ પથ્થરો કેમ નથી રાખવામાં આવતા તો તેનું કારણ એ છે કે તે સરકી જાય છે જેના કારણે ટ્રેકને સ્થિરતા રાખવામાં મુશ્કેલી થાય છે. બીજું કારણ શું છે?
તીક્ષ્ણ પથ્થરો પાટાને ફેલાતા અટકાવે છે, સાથે જ ટ્રેક પર કોઈપણ પ્રકારના છોડને ઉગવા દેતા નથી. તમે અવારનવાર જોયું હશે કે જ્યાં આ પથ્થર ઓછી સંખ્યામાં હોય અથવા બિલકુલ ન હોય ત્યાં પાટા પર છોડ ઉગવા લાગે છે. જેના કારણે ટ્રેનો ચલાવવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત વરસાદની સિઝનમાં ટ્રેકની નીચેની માટી ઘસવા લાગે છે પછી આ ટ્રેક બૅલાસ્ટ્સ માટીને ઘસતી અટકાવે છે. બીજું કારણ એ પણ માનવામાં આવે છે કે જ્યારે ટ્રેન પાટા પરથી પસાર થાય છે ત્યારે ઘણો અવાજ આવે છે અને આ પત્થરો આ અવાજને અમુક અંશે અવાજ ઓછો કરે છે. શું છે સ્લીપર્સ ?
અમે હમણાં જ ઉપર એક શબ્દનો ઉલ્લેખ કર્યો સ્લીપર. રેલવે ટ્રેક પર આ નાના-નાના પથ્થરો સિવાય કોંક્રીટમાંથી બનેલી લાંબી પ્લેટો પણ મુકવામાં આવે છે જેના પર પાટા નાખવામાં આવ્યા હોય છે. તેને સ્લીપર્સ કહેવામાં આવે છે. ટ્રેક બલાસ્ટ પણ આ સ્લીપર્સને સ્થિરતા પ્રદાન કરે છે. જ્યારે ટ્રેન પસાર થાય છે, ત્યારે સ્લીપર અને બલાસ્ટનું મિશ્રણ તેનું વજન સહન કરે છે અને કોઈપણ અકસ્માતની શક્યતા ઘટાડે છે.