બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મુસ્લિમો પર સૌથી વધારે અત્યાચાર છતા ચીનમાં કેમ નથી થતા આતંકવાદી હુમલા? સૌથી મોટું કારણ

મુસ્લિમો પર દમન / મુસ્લિમો પર સૌથી વધારે અત્યાચાર છતા ચીનમાં કેમ નથી થતા આતંકવાદી હુમલા? સૌથી મોટું કારણ

Last Updated: 05:03 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દાયકાઓમાં, ઝડપી આર્થિક વિકાસ થયો છે, જેના કારણે અહીંના નાગરિકોના જીવનમાં સુધારો થયો છે. આ એક મોટું કારણ છે કે ચીનના સ્થાનિક નાગરિકો તરફથી આતંકવાદને સમર્થન મળતું નથી.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયા ચોંકી ગઈ છે. આ આતંકવાદી હુમલાએ ફરી એકવાર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે કારણ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું પાકિસ્તાન દ્વારા ઘડવામાં આવ્યું હોવાના આરોપો છે. આ પહેલીવાર નથી. જ્યારે વિશ્વના કોઈપણ દેશમાં આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ હોવાનું જાણવા મળ્યું હોય. વિશ્વના ઘણા દેશો આ પ્રકારના આતંકવાદથી પરેશાન છે, પરંતુ શું તમે ક્યારેય ચીનમાં આતંકવાદી હુમલાના સમાચાર સાંભળ્યા છે?

ચીનમાં દશકોથી કોઇ આતંકવાદી હુમલો નહી

જો તમે છેલ્લા કેટલાક વર્ષોના ઇતિહાસ પર નજર નાખો તો ચીન એક એવો દેશ છે જ્યાં આતંકવાદી હુમલા નહિવત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયામાં આતંક ફેલાવનારા આતંકવાદીઓ ચીનને નિશાન કેમ નથી બનાવતા? ચાલો જાણીએ કે ચીનમાં આતંકવાદી હુમલા ઓછા થવા પાછળના સૌથી મોટા કારણો શું છે.

પાકિસ્તાન સાથે મિત્રતા

જો દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી હુમલો થાય છે, તો તેની પાછળ ચોક્કસપણે પાકિસ્તાની કાવતરાની ચર્ચા થાય છે. એ વાત કોઈ રહસ્ય નથી કે, દુનિયાના ઘણા મોટા આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા ISIનો ટેકો છે. જોકે, ચીનમાં આતંકવાદી ઘૂસણખોરી અને હુમલાઓ ન થવાનું સૌથી મોટું કારણ ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા છે. પાકિસ્તાન સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રમાં મોટાભાગે ચીન પર નિર્ભર છે. ચીને પાકિસ્તાનને સંરક્ષણ સાધનો અને નાણાંનો મોટો જથ્થો આપ્યો છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ચીનમાં કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલા કરીને પોતાના પગ પર કુહાડી મારી શકે નહીં.

કડક સુરક્ષા વ્યવસ્થા

ચીનમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક માનવામાં આવે છે અને ચીનની સરકાર આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ નીતિ' અપનાવે છે. સરકારે આતંકવાદ વિરોધી કામગીરીને રોકવા માટે ખાસ સુરક્ષા દળોની રચના પણ કરી છે. આ ઉપરાંત, ચીને નાગરિકોની સુરક્ષા માટે ઘણા કડક પગલાં પણ લીધા છે, જે ચીનને આતંકવાદ સામે લડવામાં મદદ કરે છે.

સરહદો પર કડક દેખરેખ

ચીનના પડોશી દેશોમાં ભારત અને પાકિસ્તાન જેવા મોટા દેશોનો સમાવેશ થાય છે. ચીન સાથેની મિત્રતાને કારણે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ચીનમાં ઘૂસણખોરી કરતા નથી અને ભારત ક્યારેય આતંકવાદને ટેકો આપતું નથી. આ એક મોટું કારણ છે કે ચીનમાં કોઈ આતંકવાદી ઘૂસણખોરી થતી નથી. આ ઉપરાંત, ચીને તેની સરહદો પર કડક દેખરેખ વ્યવસ્થા વિકસાવી છે, જેથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને અટકાવી શકાય.

આર્થિક વિકાસ અને સારી રોજગાર

ચીને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝડપી આર્થિક વિકાસ કર્યો છે, જેના કારણે તેના નાગરિકોના જીવનમાં સુધારો થયો છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ચીનમાં રોજગારના પુષ્કળ સાધનો ઉપલબ્ધ છે. આ એક મોટું કારણ છે કે આતંકવાદને ચીનના સ્થાનિક નાગરિકો તરફથી સમર્થન મળતું નથી. બીજી તરફ, ચીની સરકારનું ધ્યાન વધુ સારા શિક્ષણ અને જાગૃતિ પર પણ છે, જેથી અહીંના નાગરિકો આતંકવાદી વિચારધારાને ટેકો ન આપે અને તેના પ્રત્યે સાવધ રહે.

ઉઇગર મુસ્લિમો પર ચીનનું ભયાનક દમન

ચીનને પહેલાથી જ લાગે છે કે, મુસ્લિમો દેશ પ્રત્યે વફાદાર નથી હોતા. જેના કારણે ચીન સતત તેમની ઇમાનદારી પર શંકા કરે છે અને સતત તેમના પર મોનિટરિંગ પણ કરવામાં આવે છે. શિનજિયાંગમાં અનેક મસ્જિદો નષ્ટ કરવામાં આવી. શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોને કેદ કરવા માટે ચીને અનેક વિશાળ કેમ્પ બનાવેલા છે. આ કેમ્પોમાં મુસલમાનોનું દમન અને શોષણ કરવામાં આવે છે. વૈશ્વિક માનવાધિકાર સંગઠનો આ મામલે અનેક વખત વિશ્વનું ધ્યાન દોરી ચુક્યા છે.

શિનજિયાંગમાં કોઇ પણ મુસ્લિમ રિવાજના પાલન પર પ્રતિબંધ

ચીનનાં શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમો ઇબાદત પર પણ પ્રતિબંધ છે. યુએન રાઇટ્સ પ્રમુખ મિશેલ બેશલેટના એક રિપોર્ટ અનુસાર ચીનમાં ઉઇગર મુસ્લિમોની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. સરકારી ઉત્પીડન માનવતા પર મોટા પ્રહાર સમાન છે. અહીં મુસ્લિમોને પરાણે કસ્ટડીમાં રાખવામાં આવે છે. બળાત્કાર, યાતના, પરાણે મજુરી સહિત અનેક યાતનાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત ઉઇગર મહિલાઓની પરાણે નસબંધી, બાળકોને તેમના પરિવારથી અલગ રાખવા જેવી અનેક યાતનાઓનો સમાવેશ થાય છે.

અમેરિકા પણ ઉઠાવી ચુક્યું છે મુદ્દો

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પણ કહી ચુક્યા છે કે, ચીની ઉઇગર મુસ્લિમોનું નહી પરંતુ માનવતાનો નરસંહાર ચાલી રહ્યો છે. બ્રિટનની સંસદમાં પણ એપ્રીલ 2021 માં ઉઇગર મુસ્લિમો પર દમનનો મામલો ખુલ્યો હતો. 2018 માં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સમિતીએ કહ્યું કે, તેમની પાસે પુરતા પુરાવા છે કે, ચીન શિનજિયાંગમાં એક લાખ મુસ્લિમોને કેદ કરીને રાખ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TERRORIST ATTACK CHINA Pahalgam attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ