મકર સંક્રાંતિ આવતા જ આકાશમાં પતંગો ઉડવા લાગે છે. આખા ભારતમાં તેને લઈને ખૂબ જ ઉતસાહ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગની શરૂઆત ક્યાંથી શરૂ થઈ? પહેલાના સમયમાં પતંગ ઉડાવવાની મજા એક શોખ હતો કે તેના પાછળ કોઈ કારણ હતા? આવો જાણીએ....
મકર સંક્રાંતિ પર કેમ ઉડાવવામાં આવે છે પતંગ?
જાણો કેમ થઈ પતંગ ઉડાવવાની શરૂઆત?
પહેલાના સમયમાં શું હતું પતંગ ઉડાવવાનું કારણ?
દર વર્ષે 14 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ ઉજવવામાં આવે છે. આમ તે તેને આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતમાં તેનું ખાસ મહત્વ છે. જ્યાં તેને ઉત્તરાયણના નામથી પણ જાણવામાં આવે છે. દેશના અન્ય ભાગો જેવા કે અમેરિકા, જાપાન, ચીન, મલેશિયા, વગેરે પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.
ગુજરાતમાં તેનો ખાસ ક્રેઝ જોવા મળે છે. આ દિવસે સવારથી લોકો પાતાની છત પર આવે છે અને મોટા મોટા પતંગ ઉડાવે છે. આ દિવસે આખુ આકાશ રંગોથી ભરાયેલું હોય છે. પરંતુ પતંગ ઉડાવવાની શરૂઆત શરૂ ક્યારથી થઈ અને કેમ ઉડાવવામાં આવે છે પતંગ? આવો જાણીએ તેના વિશે....
પતંગનો ઈતિહાસ
જો ભારતીય ઈતિહાસ પર નજર કરીએ તો પતંગોનો ખેલ ફક્ત રાજા-મહારાજાઓ દ્વારા ખેલવામાં આવતો હતો. તે દમાનામાં પતંગબાજી તે લોકો કરતા હતા જે રાજઘરાના સાથે સંબંધ ધરાવતા હતા. જોકે બાદમાં તે નવાબોનો પણ શોખ બની ગયો હતો.
તે સમયે આ ખેલ રાજા મહારાજાઓ દ્વારા પોતાની શક્તિ અને સામર્થ દર્શાવવાનું પ્રતીક માનવામાં આવતું હતું પરંતુ આ સમયની સાથે સાથે એટલું પ્રચલિત થયું કે સામાન્ય લોકો પણ તેનો ભાગ બનવા લાગ્યા અને ધીરે ધીરે પતંગ ઉડાવવાનો ક્રેઝ બધામાં ફેલાતો ગયો. માનવામાં આવે છે કે પહેલું આતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ વર્ષ 1989માં ઉજવવામાં આવ્યું હતું. આ દિવસે ઘણા દેશોએ આવીને તેમાં ભાગ લીધો અને નવા નવા પતંગોનું પ્રદર્શન પણ કર્યું.
મકર સંક્રાંતિ પર હોય છે ધૂમ
મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ ઉડાવીને પોતાની ખુશી જાહેર કરે છે. જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ દિવસે શરીર પર પડતા તાપના કિરણોનું ખાસ મહત્વ હોય છે. માટે આ દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી શરીરના દરેક રોગ પણ દૂર થાય છે.