બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કમરની નીચે સોનાના આભૂષણ કેમ પહેરવામાં આવતા નથી? તથ્યમાં નુકસાન, જાણીને લાગશે નવાઈ

ધર્મ / કમરની નીચે સોનાના આભૂષણ કેમ પહેરવામાં આવતા નથી? તથ્યમાં નુકસાન, જાણીને લાગશે નવાઈ

Last Updated: 06:12 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ જે સોના ચાંદીના ઘરેણાં પહેરે છે તેને પહેરવાના હિન્દુ ધર્મમાં કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. જેમાં સોનાને કમર નીચે પહેરવાની મનાઈ કરવામાં આવી છે.

સ્ત્રીઓના શૃંગાર માટે ઘરેણાં મહત્વનો હિસ્સો છે. મોટાભાગે આ ઘરેણાં સોના અને ચાંદીના બનેલા હોય છે. પરંતુ ધર્મ શાસ્ત્રમાં સોના અને ચાંદીના દાગીના પહેરવા માટેના નિયમો છે. સોનાના ઘરેણાં હંમેશા કમરથી ઉપર પહેરવામાં આવે છે, જ્યારે ચાંદીની પાયલ અને અંગૂઠાની વીંટી પગમાં પહેરવામાં આવે છે. પગમાં સોનાની પાયલ અને વીંટી નથી પહેરવામાં આવતી. ચાલો જાણીએ કે આ માન્યતા પાછળનું કારણ શું છે.

  • કમર નીચે સોનાના ઘરેણાં કેમ નથી પહેરતા?
    હિન્દુ ધર્મમાં સોનું ધન દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. સોનું એ દેવી લક્ષ્મીનું પ્રતીક છે. આથી જ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાને શુભ માનવામાં આવે છે. સોનાનો સંબંધ દેવી લક્ષ્મી સાથે હોવાથી સોનાના ઘરેણાં કમરથી નીચે પહેરવામાં નથી આવતા. જેને પાપ પણ માનવામાં આવે છે અને લક્ષ્મી માતા ગુસ્સે પણ થઈ શકે છે.
anklet (2)

આથી સ્ત્રીઓ પગમાં પાયલ જેવા ચાંદીના આભૂષણ પહેરે છે. શાસ્ત્રોમાં કમરના ઉપરના ભાગને પવિત્ર માનવામાં આવે છે, તેથી સોનાના ઘરેણાને કમરની ઉપર પહેરવામાં આવે છે.

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર,માનવ શરીરમાં ચંદ્ર અને સૂર્યની ઉર્જા હોવાથી શરીરના ઉપરના ભાગમાં સોનાના દાગીના અને કમરની નીચે ચાંદીના દાગીના પહેરવામાં આવે છે. જો યૌગિક આધારે જોવામાં આવે તો સોનું પોતાની અંદર ઊર્જાનો સંગ્રહ કરે છે. જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમે સોનાના દાગીનાની મદદથી ત્યાંની પવિત્ર અને ઉચ્ચતમ ઊર્જાને ગ્રહણ કરી શકો છો.

વધુ વાંચો : ઘરના વાસ્તુદોષને દૂર કરવો છે? તો અપનાવો આ સરળ ઉપાય

કમરની નીચે પાયલ અને અંગૂઠાની વીંટી ચાંદીની પહેરવામાં આવે છે કારણ કે શરીરનું અપાનવાયુ નીચેની તરફ આગળ વધે છે. અપાનવાયુ શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે. જે સ્ત્રીઓને માસિક સ્રાવ, પેશાબ વગેરે દરમિયાન મદદ કરે છે. જો તમે સોનાની પાયલ અને અંગૂઠી જેવા ઘરેણાં પહેરો છો તો સોનાની મદદથી તમે કમરની નીચેની નકારાત્મક ઉર્જા શરીરમાં જ સમાહિત કરી લો છો અને તે નીચે તરફ નથી જતી. આ કારણોસર કમર ઉપર સોનું અને નીચે ચાંદી પહેરવાની માન્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Jewellery Hindu Dharma Silver Jewellery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ