ભારતમાં થોડા દિવસમાં સંક્રમણ ઘટવા છતાં પણ કેમ વધી રહ્યો છે મૃત્યુ દર? તે માટે એક્સપર્ટે આપ્યા આ કારણ
સંક્રમણનો આંકડો 10 મે ના રોજ 3.88 લાખ હતો, જે એક અઠવાડિયા પછી ઘટી 17 મે એ 3.19 લાખ સુધી પહોંચ્યો
કોરોનાની બીજી લહેરમાં યુવાનોના મોત વધુ
સર્વે કરી મૃત્યુ દર વધવાનું મૂળ કારણ જણાવ્યું
સંક્રમણનો આંકડો 10 મે ના રોજ 3.88 લાખ હતો, જે એક અઠવાડિયા પછી ઘટી 17 મે એ 3.19 લાખ સુધી પહોંચ્યો
દેશભરમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે, પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી ટેસ્ટિંગ વધાર્યું છે જેનો ઘણો ફાયદો થયો છે, 14 અઠવાડિયામાં ઘણું ટેસ્ટિંગ વધાર્યું છે. તેનાથી સંક્રમણની ઝડપ ખબર પડી અને તેના પર કાબૂ રાખવાની ખબર પડી. પણ ચિંતાની વાત અહિયાં એ છે કે કેસ ઘટવા છતાં સહાય માટે મોતના કેસ વધી રહ્યા છે. ભારતમાં કોરોનાનું સંક્રમણનો આંકડો 10 મે ના રોજ 3.88 લાખ હતો, જે એક અઠવાડિયા પછી ઘટી 17 મે એ 3.19 લાખ સુધી પહોંચ્યો. 10 મે ના રોજ કોરોનાથી જીવ ગુમાવનાર લોકોનો આંકડો 3948 હતો અને 19 મે એ તે વધીને 4500 સુધી પહોંચી ગયો છે. આ વાત પર એક્સપર્ટ લોકોની ટીમે યોગ્ય કારણ બતાવ્યા છે.
કોરોનાની બીજી લહેરમાં યુવાનોના મોત વધુ
એક ખુલાસો એ થયો કે કોરોનાની પહેલી લહેર કરતાં આ બીજી લહેરમાં ઘણા યુવાનોના મોત થયા છે. આ રિપોર્ટ દિલ્હીની 7-8 હોસ્પિટલમાં કરેલ સર્વે પરથી આપ્યો છે અને તે ઘણો ચિંતાજનક છે. એટલે કે બીજી લહેરમાં આપણે ઘણા યુવાઓને ગુમાવ્યા છે. પણ હવે સંક્રમણ ઓછું થવા લાગ્યું હોય તો પછી મોતના આંકડા ઘટવાને બદલે કેમ વધી રહ્યા છે.
સર્વે કરી મૃત્યુ દર વધવાનું મૂળ કારણ જણાવ્યું
જાણકારોના મત અનુસાર જે મક્કમ મનથી ભારતના લોકોએ કોરોના સામે લડત લડી છે તે મુજબ જો હજી પણ લડત ચાલુ રહે તો 10-15 દિવસમાં મોતનો આંકડો પણ ઘટી શકે છે. JNU CSMCHના ચેરમેન ડૉ. રાજીવદાસ ગુપ્તાએ કહ્યું છે કે કોરોના વાયરસથી થતી મોતનો આંકડો બે અઠવાડિયા પાછળ ચાલે છે અને 15 દિવસ પછી આવતા કેસમાં ઘટાડાની અસર મોતના આંકડા પર બે અઠવાડિયા પછી દેખાય છે. આ સર્વે દિલ્હી અને ગાઝિયાબાદના હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. જેમાં કહ્યું છે કે પહેલી લહેરમાં 9 મહિનામાં 45થી ઓછી ઉંમર વાળા 3,929 દર્દીઓ હતા જ્યારે બીજી લહેરમાં ત્રણ મહિનામાં જ 1579 દર્દીઓ યુવાન હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર ગત 24 કલાકમાં કોરોના 267174 નવા કેસ આવ્યા છે. જે કાલની સરખામણીએ 5 હજાર કેસ વધારે છે. દેશમાં કુલ કેસની સંખ્યા 25495144 પહોંચી ગઈ છે. આમાંથી એક્ટિવ કેસની સંખ્યા 3221822 છે. એટલે કે મંગળવારે 3.89 લાખ સાજા થયા. જ્યારે 24 કલાકમાં 4525 લોકોના મોત થયા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે 10 રાજ્યોમાં સૌથી વધારે મોત ગત 24 કલાકમાં થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 1200, કર્ણાટકમાં 476, દિલ્હીમાં 340, તમિલનાડુમાં 335, આંધ્ર પ્રદેશમાં 271, ઉત્તરાખંડમાં 223, પંજાબમાં 191, રાજસ્થાનમાં 157, છત્તીસગઢમાં 149 તથા પશ્ચિમ બંગાળમાં 147 મોત થયા છે.