દેશમાં કોરોના મહામારીએ ભયંકર સ્વરુપ ધારણ કર્યું છે ત્યારે મહામારી વકરવાના પાંચ કારણો સામે આવ્યાં છે.
ઈકોનોમીની હાલત જોતા સરકાર લોકડાઉન લગાડવાની હાલતમાં નથી
રસીકરણમાં ઢીલાઈ પણ કોરોના વધવાનું બીજું મુખ્ય કારણ છે.
લોકો કડકાઈથી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી
દેશમાં મહામારી વકરવા પાછળના 5 કારણો સામે આવ્યાં છે તે જાણી લેવા જરુરી છે.વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી ઉચ્ચારી છે કે હજુ પણ સમય છે આપણે કોવિડ-19 ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીએ તો કોરોનાને નાથી શકાય છે. અન્યથા મહામારી હજુ પણ વકરી શકે છે. (1) સરકારનું ઢીલું વલણ
ઈકોનોમીની હાલત જોતા સરકાર લોકડાઉન લગાડવાની હાલતમાં નથી. આ દરમિયાન લાપરવાહી જોવામાં આવી રેલીઓમાં ભીડ ઉમટી પડી અને કોવિડ-19 ની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં.રાજકીય નેતાઓ મોટી મોટી રેલીઓ કરી રહ્યાં છે. (2) રસીકરણમાં ઢીલાઈ
રસીકરણમાં ઢીલાઈ પણ કોરોના વધવાનું બીજું મુખ્ય કારણ છે. (3) શહેરમાં ઉમટતી ભીડ
ભારતમાં કોરોનાના 1.2 કરોડ કરતા પણ વધારે કેસો છે તેમ છતાં પણ મહામારી મુખ્યત્વે શહેરો તરફ કેન્દ્રીય છે. આ શહેરોમાં વાઈરસના ફેલાવાની ઘણી સંભાવના છે.શહેરોમાં ભીડ ઉમટી રહી છે. (4) મ્યુટેશન
વાઈરસનું સ્વરુપ બદલવાને કારણે કોરોનાના કેસો રોકેટગતિથી વધી રહ્યાંછે. (5) કોવિડ ગાઈડલાઈનની લીરેલીરા
લોકો કડકાઈથી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. માસ્ક વગર ફરી રહ્યાં છે. ભીડ કરી રહ્યાં છે પરિણામ આપણી સામે છે.
કોરોનાના સમયમાં આ શહેર બન્યું સરકાર માટે ચિંતાનું કારણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે પણ પડકારજનક બની રહ્યું છે પૂણે રાજ્યમાં સૌથી વધુ દૈનિક કેસની સંખ્યા આજે પુણેથી નોંધાઈ હતી .
પૂણેમાં હાલમાં એક લાખથી પણ વધુ એક્ટિવ કેસ છે
પૂણે શહેરમાં હાલમાં 1.9 લાખથી વધુ સક્રિય કેસ છે. રવિવારે પણ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12,590 કેસ નોંધાયા હતા, જે મહારાષ્ટ્રના અન્ય કોઈ પણ શહેર કરતાં તો વધુ છે પરંતુ સાથે જ આ આંકડા ભારતના અમુક રાજ્યોના દૈનિક કેસોની સંખ્યા કરતાં પણ વધુ છે. પૂના સિવાય અન્ય કોઈ શહેરમાં કોરોનાના એક લાખથી વધુ સક્રિય કેસ ક્યારેય બન્યા નથી. આ સંદર્ભમાં, પુણે સતત મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર માટે સતત ચિંતાનું કારણ છે.
શનિવારે શહેરમાં 9,822 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 8,658 લોકોનાં મોત નીપજ્યાં છે અને 6.5 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. દરમિયાન, રવિવારે 45,331 લોકોએ પુણેમાં કોરોના રસી લીધી હતી. શહેરમાં હાલમાં 381 કેન્દ્રોમાં રસીકરણ ચાલુ છે. જો કે, કોરોના કેસની ગતિ જોતાં, રસીકરણની ગતિ હજી ઘણી ધીમી છે. પૂણે સહિત રાજ્યમાં હાલમાં આવા 4 શહેરો છે, જ્યાં કોરોના 50,000 થી વધુ કેસ છે. કોરોનામાં પૂણેમાં એક લાખથી વધુ સક્રિય કેસ છે અને મુંબઈની આર્થિક રાજધાનીમાં 91,100 એક્ટિવ કેસ છે.