5 મહિનામાં જ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં સ્થિતિઓ બદલતી જોવા મળી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપનો આધાર હંમેશા મજબૂત રહ્યો છે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ બનેલો માહોલ, રાષ્ટ્રવાદ જેવા મુદ્દા ચૂંટણીમાં ફેક્ટર બની રહ્યા છે.
માત્ર 5 મહિના પહેલા જ હિંદી બેલ્ટના ત્રણ મહત્વના રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી થઇ, જ્યાં કોંગ્રેસ પાર્ટી ભાજપ પાસેથી સત્તા છીનવવા સફળ રહી. એમાં એમપી અને છત્તીસગઢમાં તો ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તામાં હતી. જો કે 5 મહિનામાં જ આ 3 રાજ્યોમાં સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસ પહેલાથી મજબૂત રહી હોય, પરંતુ 3 જગ્યાએ ભાજપના મજબૂત આધારને સમગ્ર રીતે તોડવામાં નિષ્ફળ જોવા મળી રહી છે.
એના ઘણા કારણ માનવામાં આવી રહ્યા છે. એક કારણ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના અલગ અલગ મુદ્દા અને આધાર પર લડવાનું છે. બીજું કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢને છોડવામાં આવે તો બાકી બંને જગ્યા કોંગ્રેસ અને ભાજપમાં કાંટાની ટક્કર રહી હતી. એવામાં આટલી જલ્દી બીજેપી હટે એવો પ્રશ્ન ઊભો થતો જ નથી. રાજકારણ પંડિત એવું પણ માની રહ્યા છે કે કોંગ્રેસને રાજ્યોમાં આવ્યાને વધારે સમય થયો પણ નથી.
ભાજપની સક્રિયતા
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લઇને જે સત્તા વિરોધી લહેર હતી, એ લોકસભા ચૂંટણી આવતા આવતા ઘણી ખતમ થઇ છે. કોંગ્રેસને મળી રહેલા પડકાર પાછળ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ભાજપે સત્તા વિરુદ્ધ ગુસ્સાથી બચવાની રણનીતિ પર વિધાનસભા ચૂંટણી દરમિયાન જ અમલ શરૂ કરી દીધો હતો. રાજસ્થાનમાં ત્યારે નારો લગાવવામાં આવ્યો હતો મોદી તુજસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં.
ભાજપ આ નારા દ્વારા સમગ્ર આક્રોશ વસુંધરા રાજે તરફ વાળવામાં સફળ રહી. આ ઉપરાંત વિધાનસભાના પરિણામ આવ્યા બાદ પાર્ટી તરફથી ખાસ કરીને સંધે પીએમ મોદીના નામ પર માહોલ બનાવવાનું શરૂ કરી દીધું. જાણવા મળી રહ્યું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટી કાર્યકર્તાઓને ડિસેમ્બરથી જ ચૂંટણી તૈયારી કરવામાં લાગેલી છે.
કોંગ્રેસના પડકાર
કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર હતો 6 મહિનાના ઓછા સમયમાં ભાજપના મજબૂત સંગઠને હચમચાવી નાંખવું. પછી કોંગ્રેસના ઘણા મોટા નેતા જે થોડાક સમય પહેલા સીએમની રેસમાં હતા, એ કોઇના કોઇ કારણોસર પોતાના રાજ્યોમાં વધારે રસ અને સમય આપી શકતા નહતા. આ વાત ખાસ કરીને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ અને મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિંયા માટે કહેવામાં આવી રહી છે.