સૂર્યગ્રહણ દરમિયાન ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરે છે. આનું વૈજ્ઞાનિક કારણ પણ છે.
હિૃંન્દુ ધર્મ અનુસાર ગ્રહણને સારુ માનવામાં આવતું નથી
ગ્રહણ દરમિયાન પ્રાણીઓ ડરી જાય છે અને કૂદવાનું શરૂ કરે છે
સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પ્રબળ હોય છે
હિૃંન્દુ ધર્મ અનુસાર ગ્રહણને સારુ માનવામાં આવતું નથી. તે દરમ્યાન સાર કાર્યો પણ થતા નથી. હિન્દુ પંચાગ અનુસાર દિવાળી 25 ઓક્ટોમ્બરના દિવસે હતી અને તેના પછીના દિવસે 25 ઓક્ટોમ્બર એટલે કે મંગળવારના રોજ સૂર્યગ્રહણ થયું. તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ માનવજાતિ સિવાય તેની અસર પશુ-પક્ષીયો પર પણ પડે છે. ગ્રહણ પહેલા સૂતકના નિયમોનું પાલન કરવું પડે છે.
ધાર્મિક કારણ
પંડીત હિતેન્દ્રકુમાર શર્માના જણાવ્યા અનુસાર હંમેશા પૂર્ણિમાં અથવા અમાવસ પર થાય છે. નોધપાત્ર રીતે જ્યરે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય છે. ત્યારે આ સૂર્યગ્રહણ થાય છે. આ દરમિયાન ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ખૂબ અસરકારક છે. તે માત્ર છોડ અને પ્રાણીઓને જ નહીં પણ સમુદ્રને પણ અસર કરે છે. પંડિતજી કહે છે કે ચંદ્રમાં પાણીનું પ્રભુત્વ છે તેથી તે દરેક વસ્તુ પર અસર કરે છે. જેમાં પાણીનું તત્વ હોય છે.