બોલિવૂડના સક્સેસફૂલ કપલ અમિતાભ અને જયા બચ્ચનના લગ્નની આજે 47મી વર્ષગાંઠ છે. મહાનાયક અમિતાભ બચ્ચન પાછળ છોકરીઓ ઘેલી હતી. કેટલી બધી સુંદરીઓ બચ્ચન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી પરંતુ અમિતાભે જયા સાથે લગ્ન કરીને છોકરીઓનું દિલ તોડી નાંખ્યું હતું. સોશિયલ મિડીયા પર અમિતાભે આ રાઝ ઉપરથી પરદો હટાવી દીધો છે કે કેમ તેમણે જયા સાથે લગ્ન કર્યા.
અમિતાભના લગ્નની રસપ્રદ કહાની
જયા અને અમિતાભના લગ્નને 47 વર્ષ થયા પૂર્ણ
હરિવંશરાયે શું કહ્યું?
તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, ફિલ્મ જંજીરની સફળતા બાદ સેલિબ્રેટ કરવા માટે તેમને મિત્રો સાથે લંડન જવું હતું. જયા પણ તે સમયે સાથે લંડન જવાના હતા. ત્યારે બંનેના લગ્ન નહોતા થયા. આ બાબતની જાણ જ્યારે તેમના પિતા હરિવંશરાય બચ્ચનને થઇ, ત્યારે તેમણે પૂછ્યું કે લંડન કોણ કોણ જઇ રહ્યું છે? ત્યારે અમિતાભે કહ્યું કે, કેટલાક મિત્રો અને જયા સાથે જઇ રહ્યાં છે. ત્યારે હરિવંશરાયે કહ્યું કે, જવું હોય તો જયા સાથે પહેલા લગ્ન કરીને પછી જાવ.
કેમ ઉતાવળા બન્યા હતા અમિતાભ?
બિગ બી પહેલા પણ આ કિસ્સાને પોતાના બ્લોગમાં લખી ચૂક્યા છે. બ્લોગમાં તેમણે લખ્યું હતું કે, આગલા દિવસે લગ્નની બધી જ તૈયારીઓ કરવામાં આવી. બંને પરિવારોને આ બાબત વિષે જાણ કરવામાં આવી અને પંડિતજીને પણ કહી દેવામાં આવ્યું. આ સિવાય જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે તેમને લંડનની ફ્લાઇટ પણ હતી. તેથી ફ્લાઇટના સમય પહેલા લગ્નવિધિ પૂરી કરવી જરૂરી હતી. લગ્નના દિવસે અમિતાભે ભારતીય પોશાક પહેર્યા હતા અને એ જ વસ્ત્રોમાં ગાડીમાં બેસવા લાગ્યા. ત્યારે તેમના ડ્રાઇવર નાગેશે તેમને કારમાંથી ઉતારીને કહ્યું કે તમે પાછળ બેસો, કારણ કે તે ગાડીને જ ઘોડી સમજીને ચલાવવા લાગ્યા હતા.