દિલ્હીની ભાગોળે ડેરો જમાવીને બેઠેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગકારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
અંબાણી-અદાણીનો કરી રહ્યા છે ખેડૂતો વિરોધ
કોર્પોરેટ ગૃહોના ખેતીમાં રોકાણનો કરી રહ્યા છે વિરોધ
અદાણી - અંબાણીની સેવાઓનો બહિષ્કાર લેવાનો નિર્ણય કર્યો : ખેડૂતો
નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂત આંદોલન હવે વધુ તીવ્ર બનવાના એંધાણ છે, કેન્દ્ર સરકારના MSP અને APMC રહેવા દેવાના લેખિત પ્રસ્તાવને નકારી કાઢતા ખેડૂત સંગઠનોએ મોટી આજે જાહેરાત કરી હતી. ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર ત્રણેય કાયદાની સંપૂર્ણ પાછી ખેંચવાની તેમની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.નોંધનીય છે કે આ આંદોલનને કોંગ્રેસ સહિતના વિપક્ષોનો ટેકો પ્રાપ્ત છે.
‘अदानी-अंबानी कृषि क़ानून’ रद्द करने होंगे।
और कुछ भी मंज़ूर नहीं!
The ‘Adani-Ambani Farm Laws’ have to be revoked.
Nothing less is acceptable.
ખેડૂતો હવેથી Jio સિમનો ઉપયોગ નહીં કરે : ખેડૂત નેતાઓ
આ વિરોધની સાથે જ તેમણે દેશના મોટા કોર્પોરેટ ગૃહો જેવા કે અંબાણી અને અદાણી નો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. ખેડૂત નેતાઓના નિવેદન પ્રમાણે ઉશ્કેરાયેલા ખેડૂતો એ નક્કી કર્યું છે કે તેઓ હવે રિલાયન્સ Jio ના સિમનો ઉપયોગ કરશે નહીં. જો કોઈની પાસે Jio નો સિમ છે, તો તે બીજા નેટવર્કમાં પોર્ટ કરાવી દેશે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું છે કે તેઓ હવે રિલાયન્સ અને અદાણી ગ્રૂપના દરેક સ્ટોર, મોલ અને સેવાનો બહિષ્કાર કરશે.
આ મહિનાની શરૂઆતમાં, અમૃતસરમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીના પૂતળાઓનું દહન કર્યું હતું. નવેમ્બર મહિનામાં, ખેડૂતોએ Jio સીમકાર્ડ પણ બાળી દીધા હતા. સોશ્યલ મીડિયા પર પણ Jio સામે ઝુંબેશ ચાલી રહી હતી. કેટલાક પંજાબી ગાયકોના સિમ્સ સળગાવવાના વીડિયો પણ વાયરલ થયા હતા. ખેડૂત સંગઠનોએ પણ રિલાયન્સના પેટ્રોલ પમ્પથી પેટ્રોલ ન લેવાની ધમકી આપી હતી.
ખેડૂતો અદાણી અને અંબાણીની વિરુદ્ધ કેમ છે ?
એક માહિતી પ્રમાણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને ભારતના કૃષિ ક્ષેત્ર પર નજર રાખી રહ્યા છે. વર્ષ 2017 માં મુકેશ અંબાણીએ આ ક્ષેત્રે રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી, Jio પ્લેટફોર્મ ફેસબુક સાથે ભાગીદારી ધરાવે છે. Jio Krushi નામની એક એપ પણ છે જે ફાર્મથી પ્લેટ સુધી સપ્લાય ચેન તૈયાર કરશે.
કંપનીનું કહેવું છે કે તે તેના 77% ફળો સીધા જ ખેડૂતો પાસેથી ખરીદે છે. વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે નવા કાયદા એવી રીતે ઘડવામાં આવ્યા છે કે જેથી આવા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થાય. તાજેતરના આંદોલન દરમિયાન, ખેડૂતોએ રિલાયન્સ અને અદાણી જૂથના નામ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો
પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ કરી ચૂક્યા છે વિરોધ
કૃષિ કાયદાની વિરોધમાં રાજીનામું આપનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ તેણે એકવાર કહ્યું, "એક ખેડૂતે અમને એક ઉદાહરણ આપ્યું, જિયો આવ્યા તેણે અમને મફત ફોન આપ્યા. જ્યારે બધાએ આ ફોન ખરીદ્યો અને તેના પર નિર્ભર રહે, ત્યારે સ્પર્ધા પૂરી થઈ અને Jio એ ભાવ વધાર્યા. કોર્પોરેટરો એકદમ આ તેઓ (કૃષિ ક્ષેત્રે) કરવા જઇ રહ્યા છે." જો કે આ બાબતે અદાણી ગ્રુપે કહ્યુંકે," અનાજને સંગ્રહિત કરવા અથવા કિંમતમાં કંપનીની કોઈ ભૂમિકા નથી. તે ફક્ત એફસીઆઈને સેવાઓ પ્રદાન કરે છે"