હવાઇ મુસાફરી શરૂ થઇ ત્યારથી અંતર ઝડપથી કપાવા લાગ્યુ છે અને જે જગ્યાએ 2 દિવસે પહોંચાતુ હતુ તે જગ્યાએ 2 કલાકમાં પહોંચી જવાય છે. સાથે જ વિમાન સાથે જોડાયેલી અજીબ વાતો પણ તમે સાંભળી હશે. કોઇ પણ એરલાઇન્સ પ્રશાંત મહાસાગર કે હિમાલય ઉપરથી પસાર નહી થાય, તમે આવુ તો સાંભળ્યું જ હશે. આ બે જગ્યા ઉપરથી વિમાન નથી ઉડતુ તેની પાછળ એક કારણ છે, જે એરલાઇન્સ કંપની દ્વારા નક્કી કરાયુ છે.
એરલાઇન્સની જાણી-અજાણી વાતો
આદર્શ ઉડાન ભરવા માટે યોગ્ય જગ્યા નહી
એરલાઇન્સે આપ્યા કારણ
હિમાલય કે પ્રશાંત મહાસાગરની વાત કરીએ તો, હિમાલયની તમામ પહાડીની ઊંચાઈ 20 હજાર ફીટથી ઉંચી છે, જે પ્રોપર ઉડાન ભરવા માટે યોગ્ય નથી. કેમ કે, હવાઈ જહાજ મોસમ સંબંધી તમામ ઘટનાઓથી બચવા માટે 30000 ફીટની ઉંચાઈ પર ઉડે છે. જેનું કેન્દ્ર સમતાપ મંડળ હોય છે. આ મંડળમાં મોસમ સંબંધી અનેક ઘટનાઓ ઘટતી નથી, અને આ મંડળમાં ફ્લાઈટને ઉડવા માટે આદર્શ દિશા હોય છે.
મોટાભાગની એરલાઈન્સ હિમાલય કે પ્રશાંત મહાસાગરના રસ્તાથી ઉડાન ભરવાથી બચે છે. આવું એટલા માટે કે, મોસમ સંબંધી ઘટનાઓ આકાશમાં બનતી હોય છે, તેની ઉંચાઈ સ્થળમંડળથી 20 કિલોમીટર ઉપર સુધી હોય છે. આ મંડળમાં હવાઈ ઉડાન ભરવા માટે આદર્શ મોસમ નથી હોતું. કેમ કે, મોસમ સંબંધી ઘટનાઓથી હવાઈ જહાજની ઉડાન પર વિપરીત અસર પડે છે. તેમજ અપ્રિય ઘટના બનવાની શક્યતા વધી જાય છે. તેથી પ્રોફેશનલ એરલાઈન્સ હિમાલય કે પ્રશાંત મહાસાગરના રસ્તેથી જતા ડરે છે.
હિમાલયના ક્ષેત્રોમાં ઓછી જનસંખ્યા હોવાને કારણે નેવિગેશન રડાર સર્વિસ પણ હોવા ન હોવા જેવી છે. જેનાથી પાયલટને જમીનથી સંપર્ક સાધવામાં બહુ તકલીફ થઈ શકે છે. તેમજ ઈમરજન્સી સ્થિતિમાં પાયલટને કોઈ પણ મદદ ન મળી શકે. તેથી હિમાલય કે પેસિફિક મહાસગરના ઉપરથી ઉડાન ભરવા કરતા તેનાથી બચીને ફરી જવું વધુ સમજદારીનું કામ છે.