એક્ટર એજાઝ ખાન પોતાના વિવાદિત નિવેદનોના કારણે હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એજાઝ પંડિતો વિરુદ્ધ અપશબ્દો કહેતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે સાંજે #अरेस्ट_मुल्ला_एजाज ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતા કપિલ મિશ્રા સહિત અનેક લોકોએ એજાઝ ખાનની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે.
પંડિતોને અપશબ્દો કહેતા એજાઝનો વીડિયો વાયરલ
એજાઝની ધરપકડ કરવાની ઉઠી માંગ
ગુરુવારે સાંજે #अरेस्ट_मुल्ला_एजाज ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું
જોકે આ વીડિયો હાલનો નથી પરંતુ એક વર્ષ જૂનો છે. જેને એજાઝ ખાને ગત વર્ષે આઠ સપ્ટેમ્બર 2019ના રોજ પોતાના યુટ્યૂબ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. આ દરમિયાન દિલ્હીના એક યુવક સાહિલની હત્યા થઈ હતી. તે મુદ્દા પર એજાઝ ખાને પોતાની વાત રજૂ કરતા પંડિતોને હત્યારા ગણાવ્યા હતા અને તેમને અપશબ્દો કહ્યાં હતા. વીડિયોમાં એજાઝ ખાન કહે છે કે સાહિત પોતાના મિત્રો વચ્ચેનો ઝઘડો સોલ્વ કરવા પંડિતોની ગલીમાં ગયો હતો. જ્યાં તેનું મોબ લિન્ચિંગ કરીને હત્યા કરી દેવાઈ.
જોકે મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે ગત વર્ષે 30 ઓગસ્ટના રોજ ઘટેલી આ ઘટનાની તપાસ બાદ તેમાં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક એંગલની આશંકાથી ઈન્કાર કર્યો હતો. ઘટના અંગે એવી જાણકારી સામે આવી હતી કે બાઈકને રસ્તો આપવાના મુદ્દે સાહિલની બે લોકો સાથે મારામારી થઈ હતી. જેમાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. આ કેસમાં બે લોકોની ધરપકડ થઈ હતી.
जो एजाज खान ने बोला है उसके बाद माफी संभव नहीं
लोगों में भयानक गुस्सा है
तुरन्त उसके खिलाफ गंभीर कानूनी कार्यवाही ही एकमात्र विकल्प
आशा करता हूँ राज्य सरकार और कानून व्यवस्था सम्हालने वाले इसकी गंभीरता को जल्दी समझ लेंगे#अरेस्ट_मुल्ला_एजाज
ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે એજાઝ ખાન જે બોલ્યો છે ત્યારબાદ તેની માફી શક્ય નથી. લોકોમાં ભયાનક ગુસ્સો છે. તેની સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ છે. આશા કરું છું કે રાજ્ય સરકાર અને કાયદો વ્યવસ્થા સંભાળનારા આની ગંભીરતાને જલદી સમજી લેશે.