કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે મોત 45 વર્ષથી ઓછી વયના લોકોના થયા છે આ માટેના 3 કારણો સામે આવ્યાં છે.
કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે મોત 45 વર્ષથી ઓછી વયના લોકોના
60 થી 70 ટકા દર્દીઓ 50 થી ઓછી વયના
અડધા તો 45 થી ઓછી વયના
આઈસીયુમાં આ સ્થિતિમાં મૃત્યુદર લગભગ 20 ટકા
ગુરુગ્રામના આર્ટેમિસ હોસ્પિટલના ડિરેક્ટર ક્રિટિકલ કેર ડો.રેશમા તિવારીએ જણાવ્યું કે અમે આ લહેરમાં યુવા વયસ્કોની વધારે સંખ્યા જોઈ રહ્યાં છીએ. 60 થી 70 ટકા દર્દીઓ 50 થી ઓછી વયના છે જેમાંથી અડધા તો 45 થી ઓછી વયના છે. આઈસીયુમાં આ સ્થિતિમાં મૃત્યુદર લગભગ 20 ટકા છે
હેપ્પી હાઈપોક્સિયા મોતનું મોટું કારણ
નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે યુવાનાના મોતના ત્રણ મોટા કારણ છે. પહેલુ હેપ્પી હાઈપોક્સિયા છે. યુવાનાનો શરીરમાં જ્યારે ઓક્સિજનનું સ્તર ઘટી જાય ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આ રીતે સ્થિતિ ગંભીર બની જતી હોય છે. હોસ્પિટલમાં ભરતી થવામાં તથા સારવારમાં થતા વિલંબને કારણે તો પરિસ્થિતિ વધારે ખરાબ બની જાય છે અને બચવાની સંભાવના ઓછી થઈ જાય છે.
બીજું મોટું કારણ વેક્સિનેશન છે
45 થી ઓછી વયના લોકો સૌથી વધારે હરતા-ફરતા હોય છે તેમનું વેક્સિનેશન થયું નથી. કોવિડ પર ઓડિશાના ટેકનોલોજી સલાહકાર ડો.જંયત પાંડાએ જણા્યું કે વધારે પડતી ગતિશિલિતા અને ઓછી ઈમ્યુનિટીને કારણે યુવા વયસ્કોમાં મોતનું પ્રમાણ વધારે રહેતું હોય છે. ત્રીજું કારણ નવું સંસ્કરણ ઝડપી અને ઘાતક છે. ગુરુગ્રામના સઘન ચિકિત્સક ડો.સુશિલા કટારીયાએ જણાવ્યં કે આ પ્રકારથી સંક્રમિત લોકોમાં સૌથી વધારે મોત થાય છે.