રાજ્યમાં જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે.તેમ તેમ ચૂંટણી પ્રચાર વધુને વધુ ઝંઝાવાતી બની રહ્યો છે..પ્રધાનમંત્રી મોદી બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સૌરાષ્ટ્રને સર કરવાના હેતુથી જુનાગઢનો પ્રવાસ ખેડ્યો...એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં ખેડૂતોને આકર્ષવાના હેતુથી તેમણે સત્તામાં આવ્યા બાદ દેવામાફીની પણ જાહેરાત કરી દીધી...પરંતુ જોવાનું એ છે કે કોંગ્રેસની દેવામાફી ઉપરાંત ગરીબોના ખાતામાં નાણા નાખવાની બંને પાર્ટીઓએ કરેલી જાહેરાતથી આખરે મતદારો આકર્ષાશે ખરા? આ જાહેરાતથી ખેડૂતોના મત આખરે કોના ખાતામાં જશે? કોના મુદ્દાઓ આપશે મ્હાત? શું ખેડૂત અને રોજગારીના મુદ્દાઓ સામે આખરે રાષ્ટ્રવાદના મુદ્દાની જીત થશે કે હાર? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...