વાયુસેનાના હેડક્વાર્ટ્સે એક એર વાઈસ માર્શલને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની આકસ્મિક ફાયરીંગની જવાબદારી આપી હતી. તેમણે વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે.
ભારતીય મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં જઈને પડી હતી
પાકિસ્તાને આ બાબતને લઈને વાંધો ઉઠાવ્યો
ભારતમાં ચાલી રહી છે હાઈ લેવલની તપાસ
વાયુસેનાના હેડક્વાર્ટ્સે એક એર વાઈસ માર્શલને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની આકસ્મિક ફાયરીંગની જવાબદારી આપી હતી. તેમણે વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, 9 માર્ચે ભૂલથી એક મિસાઈલ પાકિસ્તાનની ધરતી પર જઈને પડી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, વાયુ સેના અધિકારી દ્વારા વિસ્તૃત તપાસ હાલમાં પણ ચાલુ છે. તેમણે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ ગ્રુપ કેપ્ટન રેંકના એક અધિકારીને દોષિત માનવામાં આવી રહ્યા છે.
તપાસ બાદ અંતિમ નિર્ણય પર પહોંચવામાં આવશે
અધિકારી મિસાઈલ સિસ્ટમના મોબાઈલ કમાંડ પોસ્ટના પ્રભારી હતા. તે સમયે તેમના ઘરેલૂ બેસ પર કમાંડ એયર સ્ટાફ ઈંસ્પેક્શન દરમિયાન આકસ્મિક ગોળીબાર થયો. જો કે, સૂત્રોએ કહ્યું છે કે, તપાસને સમયબદ્ધ રીતે અંતિમ રૂપ આપવામાં આવશે અને અંતિમ પરિણામ પર તેની બાદ પહોંચવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે, ઘટનાની તપાસ કરી રહેલા એવીએસ અત્યધિક યોગ્ય છે અને વાયુસેના મુખ્યાલયમાં સંચાલનના પ્રભારી છે.
રક્ષામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું
રક્ષામંત્રી રાજનાથ સિંહે 15 માર્ચે સંસદમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણથી જોડાયેલી ઘટનાની હાઈ લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે, દુર્ભાગ્યથી 9 માર્ચે એક મિસાઈલ ભૂલથી લોન્ચ થઈ ગઈ હતી. આ ઘટના એક નિયમિત નિરીક્ષણ દરમિયાન થઈ હતી. અમને બાદમાં ખબર પડી કે, આ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી હતી.
તેમણે એવું પણ કહ્યું કે, ભારતીય મિસાઈલ સિસ્ટમ અત્યંત વિશ્વાસુ અને સુરક્ષિત છે. સાથે જ ભારતીય સશસ્ત્ર દળ આવી સિસ્ટ્મને સંભાળવામાં અનુભવી છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન આ મામલામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવાની કોશિશ કરી રહ્યું છે.
આપને એ પણ જણાવી દઈએ કે, મિસાઈલથી પાકિસ્તાનના મિયાં ચન્નૂ શહેરમાં કોઈ પણ રીતે સંપત્તિને કોઈ મોટુ નુકસાન અથવા કોઈનો પણ જીવ ગયો થી. ભારતે પણ આ ઘટના પર ખેદ જણાવ્યો છે.