ડેલ્ટા વેરિએંટને લઈને WHOએ કહ્યું કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તે લોકો પણ સંક્રમિત થઈ શકે છે. સાથેજ તેમણે વિશ્વના દરેક દેશોને વેક્સિનેશન પર ભાર આપવા માટે કહ્યું.
ડેલ્ટા વેરિયન્ટને લઈને WHOનો ચોંકાવનારો ખુલાસો
વેક્સિનેશન પર ભાર આપવા WHOના વૈજ્ઞાનિકની સલાહ
વેક્સિનેશન વધશે તો મૃત્યુદર ઘટશે: WHO
વિશ્વભરમાં હાલ ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે ન્યૂઝિલેન્ડ સહિતના અમુક દેશોએ તો લોકડાઉન ફરીથી લાદી દીધું છે. ઓસ્ટ્રેલિયામાં પણ હાલ ગંભીર પરિસ્થિતી જોવા મળી રહી છે. ત્યારે આવા સમયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ સોમ્યા સ્વામીનાથને કહ્યું જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને પણ સંક્રમણ લાગી શકે છે.
વેક્સિનેશન પર ભાર આપવા WHOની સલાહ
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે હાલની પરિસ્થિતીમાં સૌથી મહત્વનુંએ રહેશે કે વિશ્વના બધા દેશો વેક્સિનેશન પર ભાર આપે જેથી મૃત્યુદર ઘટાડી શકાશે. વિકસીત દેશોમાં હાલ 50 ટકા કરતા વધું લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. જોકે અમુક દેશો એવા પણ છે જ્યા વેક્સિનેશન ઘણું ધીમુ ચાલી રહ્યું છે. જેથી ત્યા સંક્રમણનું પ્રમાણ વધી શકે છે.
ડેલ્ટા વેરિયન્ટની જેમ નવો વેરિએંટ પણ આવે તેવી શક્યતા
ડૉ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે જે દેશોમાં વેક્સિનેશન હાલ ધીમુ ચાલી રહ્યું છે ત્યા સંક્રમણ ઝડપથી વધશે. સાથેજ તેમણે કહ્યું કે હવે જો સંક્રમણ વધશે તો ડેલ્ટા વેરિયન્ટની જેમ કોઈ નવો વેરિએંટ પણ પેદા થઈ શકે છે.
ત્રીજી લહેર વધારે ઘાતક નહી હોય
મહામારીનું પૂર્વાનુમાન કરનારી ટીમના એક વૈજ્ઞાનિકે કહ્યું કે જો ડેલ્ટા વેરિયન્ટ સિવાય અન્ય કોઈ નવો વેરિયન્ટ આવશે તો તે સપ્ટેમ્બરના અંત સુધીમાં સક્રિય થઈ શકે છે. સાથેજ તેમણે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર નવેમ્બરમાં ચરમ સીમા પર હશે. પરંતુ તેમણે એવું પણ કીધું કે ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહી હોય.
WHOનું ચોકાવનારુ નિવેદન
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસને લઇ WHOએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. WHOએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ લાંબા સમય સુધી રહી શકે છે. લોકોએ કોરોના સાથે જીવન જીવતા સીખવુ પડશે. ભારતમાં હાલ મધ્યમ સ્તર પર સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે ભારતમાં લોકોએ કોરોનાથી છૂટકારો મેળવવા રાહ જોવી પડશે. હાલ કોરોનાના કેસ પહેલાની જેમ નથી વધી રહ્યા. WHOએ કહ્યું કે 2022 પૂર્ણ થાય ત્યાં સુધી 70 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ છે.