આવનાર સમયમાં કોરોનાની બીજી લહેર ભારતની મુશ્કેલી વધારી શકે છે
આ જીવલેણ વાયરસના કારણે દેશમાં રોજ લગભગ 4000 લોકોના મોત
ડો. સૌમ્યા સ્વામીનાથને કોવિડ-19 મહામારીની આગામી લહેરને લઈને ચેતાવણી આપી
હજુ ઘણા સ્ટેજ આવવાના બાકી
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં તબાહી મચાવી છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં રોજ લગભગ 4000 લોકોના મોત થઈ રહ્યા છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને કોવિડ-19 મહામારીની આગામી લહેરને લઈને ચેતાવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે આવનાર સમયમાં કોરોનાની બીજી લહેર ભારતની મુશ્કેલી વધારી શકે છે. ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોરોના સામેની જંગમાં આવતા 6-18 મહિના ભારત માટે ખૂબ મહત્વના છે.
એક ઈન્ટરવ્યૂમાં ડો. સ્વામીનાથને કહ્યું, 'મહામારીના આ યુદ્ધમાં ઘણુ બધુ વાયરસના વિકાસ પર નિર્ભર કરે છે. વેરિએન્ટ વિરૂદ્ધ વેક્સીનની ક્ષમતા અને વેક્સીનથી બનતી ઈમ્યૂનિટી કેટલા સમય સુધી લોકોનો બચાવ કરી શકે છે. તે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમાં ઘણુ બધુ બદલાઈ રહ્યું છે.'
મહામારીના આ ઘાતક સ્ટેજનો નિશ્ચિત રીતે અંત છે
તેમણે કહ્યું, આપણે જાણીએ છીએ કે મહામારીના આ ઘાતક સ્ટેજનો નિશ્ચિત રીતે અંત છે. વર્ષ 2021ના અંત સુધી આપણે તે જોઈ શકીએ છીએ. હવે દુનિયાની લગભગ 30 ટકા આબાદી વેક્સીનેટ થઈ રહી છે આ જ તે સમય હશે જ્યારે આપણે મોતના આંકડામાં ઘટાડો જોઈ શકીએ છીએ. ત્યાર બાદ 2022માં વેક્સિનેશનમાં વધારો થઈ શકે છે.
ડો. સ્વામીનાથને કહ્યું કે આપણે બધા મહામારીના એક સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છીએ. જ્યાં હજુ પણ ઘણા પડાવ આવવાના બાકી છે. અમે આવતા 6થી 12 મહિના સુધી આપણા પ્રદર્શન પર ધ્યાન આપવાનું રહેશે. જે ખૂબ મુશ્કેલ સમય હોઈ શકે છે. ત્યાર બાદ જ સંક્રમણ પર નિયંત્રણ અથવા મહામારીને ઝડમૂળમાંથી ખતમ કરવા માટે લાંબા સમયની યોજના પર વાત કરવી જોઈએ. અમે જાણીએ છીએ કે વેક્સીનથી બનતી ઈમ્યૂનિટી અને કોરોના સંક્રમણથી બનતી પ્રાકૃતિક ઈમ્યૂનિટી ઓછામાં ઓછા આઠ મહિના સુધી રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે. આપણે વધુમાં વધુ ડેટા કલેક્ટ કરી શકીએ છીએ.
B1.617 કોરોનાનું ખૂબ ચેપી વેરિએન્ટ
સારવારના પ્રોટોકોલ્સ પર ટિપ્પણી કરતા ડો. સ્વામીનાથને કહ્યું, 'લોકો માટે એ સમજવુ ખૂબ જરૂરી છે કે અલગ અલગ ડ્રગનો ખોટા સમય પર ઉપયોગ કરવાથી તેમને ફાયદાથી વધારે નુકશાન થાય છે. હવે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ કોઈ અસર નથી બતાવી રહી.' તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ પણ દેશ બિમારી સામે લડવા માટે WHOના પ્રોટોકોલ્સનો સહારો લઈ શકે છે.
ડો. સ્વામીનાથને જણાવ્યું કે B1.617 કોરોનાનું ખૂબ ચેપી વેરિએન્ટ છે. વેરિએન્ટ મૂળ રૂપથી વાયરસનો મ્યૂટેટ અથવા વિકસિત વર્જન હોય છે અને માટે તેના વાયરલ જીનોમમાં પરિવર્તન થાય છે. અને તે ખૂબ સામાન્ય વાત છે. RNA વાયરસ જેમ જેમ મલ્ટીપ્લાઈ થાય છે, વાયરસને પોતાનાની જ રેપ્લીકેટ કરવામાં મદદ મળે છે. આ વાયરસમાં થોડા ફેરફાર થાય છે. આ મૂળ રૂપથી એક એરર છે જેનું કોઈ ખાસ મહત્વ નથી. આ કોઈ પણ પ્રકારે વાયરસને પ્રભાવિત નહીં કરે.
ઓરિજિનલ સ્ટ્રેન કરતા ડોઢ ગણો વઘુ સંક્રામક થઈ શકે
WHOએ અત્યાર સુધી 'વેરિએન્ટ ઓફ કંસર્ન'માં ચાર વેરિએન્ટ શામેલ કર્યા છે. તેમાં B 1.617 સૌથી નવું છે. જે સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો અને ત્યાર બાદ દુનિયાના લગભગ 50 દેશો સુધી ફેલાયો. ડો. સ્વામીનાથને કહ્યું કે B 1.617 નિશ્ચિત રીતે વધુ સંક્રામક વેરિએન્ટ છે. આ ઓરિજિનલ સ્ટ્રેન કરતા ડોઢ ગણો વઘુ સંક્રામક થઈ શકે છે. આટલું જ નહીં આ બ્રિટનમાં જોવા મળતો B 117 વેરિએન્ટથી પણ વધુ ખતરનાક થઈ શકે છે. જેણે ભારતની પણ ચિંતા વધારી દીધી હતી.
તેમણે જણાવ્યું કે અમારી પાસે તેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી કે કોવિશીલ્ડ અથવા કોવેક્સીન લેનાર લોકોમાં નવા વેરિએન્ટથી સંક્રમણ થવાની સંભાવના કેટલી છે. તેને લઈને શોધ કરવાની જરૂર છે. એકલા સીક્વન્સિંગથી આપણને તે જાણકારી પ્રાપ્ત નહીં થાય. જે આપણને જોઈએ છીએ. તેના ક્લીનિકલ પ્રોફાઈલના દર્દી, એપિડેમાયોલોજી અને ટ્રાન્સમિશનના ડેટાની પણ ખાસ જરૂર હોય છે. સાથે જ અમુક એવા લોકોના ડેટા પણ જરૂર હશે જે ઈન્ફેક્શન વખતે વેક્સીનેટ થઈ ચુક્યા છે.
ભારતમાં ઉપલબ્ધ વેક્સીન કોરોનાના નવા સ્ટ્રેન વિરૂદ્ધ ખૂબ પ્રભાવસાળી
WHOના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું, 'હાલમાં મળેલી જાણકારી અનુસાર ભારતમાં ઉપલબ્ધ વેક્સીન કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરૂદ્ધ ખૂબ પ્રભાવસાળી છે. જોકે ઘણા મામલામાં બે ડોઝ લેનાર લોકો પણ સંક્રમિત થયા છે. ઘણા લોકોને હોસ્પિટલાઈઝ પણ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે એમુક કેસમાં જ એવું થાય છે. કારણ કે કોઈ વેક્સીન 100 ટકા બચાવ નથી કરી શકતી. જોકે બે ડોઝ લેનાર મોટાભાગના લોકો ઘાતક બિમારીથી બચવામાં સફળ રહ્યા છે.'
ડો. સ્વામીનાથને ન ફક્ત સમસ્યાઓનો ઉકેલ જણાવ્યું પણ ઘણી ફાયદાકારક રણનીતિઓને અપનાવવાની સલાહ પણ આપી. તેમણે જણાવ્યું કે હેલ્થ કેરમાં રોકાણ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણાં જીવનમાં સ્વાસ્થ્ય વગર કંઈ પણ નથી. શારીરિક અને માનસિક રૂપથી મજબૂત રહેવું ખૂબ જરૂરી છે.