ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 19 ઓક્ટોબરથી ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રાંચીમાં રમાશે. 3 મેચની ટેસ્ટ સીરિઝની આ છેલ્લી મેચ છે, જેના માટે સાઉથ આફ્રિકાની ટીમ રાંચી એટલે કે ધોનીના શહેરમાં પહોંચી ગઇ છે. તો ટીમ ઇન્ડિયાના અડધી ખેલાડી જ હજુ રાંચી પહોંચ્યા છે.
ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહી છે ટેસ્ટ સીરિઝ
સીરિઝની છેલ્લી મેચ 19 ઓક્ટોબરના રાંચીમાં રમાશે.
સાઉથ આફ્રિકાની ટીમ અને સપોર્ટ સ્ટાફ પહોંચ્યો રાંચી, તો ટીમ ઇન્ડિયા 5 ખેલાડીઓ જ પહોંચ્યા ધોનીના શહેરમાં
આ ભારતીય ખેલાડીઓ રાંચી પહોંચ્યા
સાઉથ આફ્રિકાની ટીમના તમામ ખેલાડી અને સપોર્ટ સ્ટાફ રાંચી પહોંચી ગયા છે, તો ટીમ ઇન્ડિયાના 5 ખેલાડીઓ જ રાંચી પહોંચ્યા છે. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને હનુમા વિહારી મંગળવારના રાંચી પહોંચ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીઓ અત્યાર સુધી રાંચી નથી પહોંચ્યા. રિપોર્ટ અનુસાર, કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ 1-2 દિવસમાં રાંચી પહોંચી જશે.
રવિવારના જ ફ્રી થઇ ગઇ હતી ટીમ ઇન્ડિયા;
તમને જણાવી દઇએ કે, 3 મેચની આ ટેસ્ટ સીરિઝની બીજી મેચ 13 ઓક્ટોબરના પૂરી થઇ હતી. એવામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીની પાસે આગામી ટેસ્ટ મેચમાં જોડાવવા માટે 6 દિવસનો સમય બાકી છે. આ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે, સલામી બેટ્સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બૉલર મોહમ્મદ શામી સહિત અન્ય ખેલાડીઓ પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા છે.
વિરાટ, રોહિત અને અંજ્કિય ગયા મુંબઇ:
માનવામાં આવી રહ્યુ છે કે, ખેલાડીઓ ગુરુવાર અને શુક્રવારે ત્રીજી ટેસ્ટ પહેલા રાંચી પહોંચી જશે. સૂત્રોનુસાર, કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે પૂનાથી સીધા મુંબઇ ગયા હતા અને તેઓ ગુરુવારના રાંચી પહોંચશે. સાઉથ આફ્રિકાની ટીમ બુધવારે પ્રેક્ટિસ કરશે જ્યારે ટીમ ઇન્ડિયાના રાંચી પહોંચેલા ખેલાડીઓ પણ પ્રેક્ટિસ માટે સવારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા