તાજેતરના સમયમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને હવે કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથે આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ છોડવા માગતા નેતાઓની કમલનાથની સલાહ
જેમને ભાજપમાં સામેલ થવું હોય તે જતા રહે
જેમને ભાજપમાં જવું હોય તેમને મારી ગાડી આપવા તૈયાર
તેમના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય
કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે એવું જણાવ્યું કે જેમણે પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ કોંગ્રેસમાંથી જવા માગતા હોય તો શું કોંગ્રેસ ખતમ થઈ ગઈ. જો કોઈ જવા માગતા હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈનો વિચાર ભાજપ સાથે મેચ ખાતો હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ.
#WATCH | Whoever wants to join BJP can go. We don't want to stop anyone. If they (Congress leaders) want to go and see their future with BJP, I would lend them my motor (car) to go and join BJP. Congress would not stop anyone from quitting: MP Congress chief Kamal Nath (18.09) pic.twitter.com/8cpI1ZgloT
કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય
મધ્યપ્રદેશ કોંગ્રેસ ચીફ કમલનાથે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય. તાજેતરના સમયમાં કોંગ્રેસમાંથી એક પછી એક નેતા રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઈ રહ્યાં છે તે મુદ્દે કમલનાથે આવું નિવેદન આપ્યું હતું.
अगर कोई कांग्रेस से जाता है तो क्या कांग्रेस खत्म हो गई? अगर कोई जाना चाहता है तो बिल्कुल जाए। हम किसी को रोकना नहीं चाहते हैं। अगर किसी की सोच BJP से मिलती है तो मैं तो उनको जाने के लिए अपनी गाड़ी दूंगा: मध्य प्रदेश कांग्रेस अध्यक्ष कमलनाथ (18.09) pic.twitter.com/fIpQiNbDZi
કોંગ્રેસના અનેક દિગ્ગજોએ છોડી પાર્ટી
તાજેતરના સમયમાં કેપ્ટન અમરિન્દર, કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ સહિતના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી હતી જેમાંના કેટલાક ભાજપમાં સામેલ થયા હતા તો કેટલાક નવી પાર્ટી બનાવી હતી.