થોડાક વર્ષો પહેલાં શરુ થયેલી કંપની ડી-માર્ટ કંપનીના શેરના 290% રીટર્ન દીધા અને દેશની આઠમી સૌથી મોટી કંપની બની ગઈ. આ કંપની 2017માં પોતાના આઈપીઓ બહાર પાડ્યા જ્યારે આ કંપનીના શેર અત્યારે આસમાને પહોચ્યાં છે.
ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણી દેશના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ કંપનીએ નેસ્લે અને બજાજ ફીનસર્વ જેવી કંપનીને પાછળ છોડી દીધી છે. દમાણી પાસે 43,300 કરોડ રૂપિયાની સંપતિ છે.
થોડાક વર્ષો પહેલાં શરુ થયેલી કંપની ડી-માર્ટ કંપનીના શેરના 290% રીટર્ન દીધા અને દેશની આઠમી સૌથી મોટી કંપની બની ગઈ. સુપરમાર્કેટ ચેઈન ડી-માર્ટ નામથી ધંધો શરુ કરનાર રાધાકિશન દમાણી હાલ અદાણી કરતાં પણ પૈસાદાર વ્યક્તિ બની ગયા. આ કંપનીનું ભંડોળ 1.50 કરોડે પહોચી ગયું. અને નેસ્લે અને બજાજ ફીનસર્વ જેવી દિગ્ગજ કંપનીને પાછળ છોડી દીધી. આ કંપની 21 માર્ચ 2017માં શેર બજારમાં નોંધાઈ હતી. તે વખતે એમ કૈપ 39,988 કરોડ રૂપિયા હતો. જેમાં અત્યારે 290% ની વૃદ્ધિ થઈ છે.
અત્યાર સુધીમાં સર્વોચ્ય સ્તર પર શેર
ગત પાંચ ફેબ્રુઆરીએ કંપનીએ પોતાના શેર સંસ્થાગત રોકાણકારોને વેચવાની જાહેરાત કરી હતી. જે બાદ સોમવારે તેમની શેર 8.6% ઉછળીને 2,484.15 રૂપિયા પર પહોંચી ગયો. જે તેમનું સર્વોચ્ય સ્તર છે.
આ વર્ષે શેરમાં 35% નો ઉછાળો
આ વર્ષે કંપનીના શેરમાં 35% નો ઉછાળો થયો છે. જો કોઈ રોકાણકારે માર્ચ 2017માં કંપનીના આઈપીઓ આવ્યા તે દરમિયાન 1 લાખ કરોડ રૂપિયાના શેર ખરીદ્યાં હોત તો સોમવારે તેમની વેલ્યુ 8.31 લાખ કરોડ હોત.
દેશના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ
શેરના આ ઉછાળા બાદ કંપનીના સ્થાપક રાધાકિશન દામાણી 43,300 કરોડ રૂપિયા સંપતિ સાથે ભારતના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અને આ સાથે સંપતિના મામલે ગૌતમ અદાણી અને સુનીલ મિત્તલને પાછળ છોડી દીધા છે.
વિપ્રો અને ઓએનઝીસી પણ પાછળ
વર્તમાનમાં કંપનીનું બજાર ભંડોળ વિપ્રો, ઓએનજીસી, અલ્ટ્રાટેક અને એચડીએફસી જેવી કંપનીને પણ ભંડોળ મામલે પાછળ છોડી છે.
કોણ છે રાધાકિશન દમાણી
રાધાકિશન દમાણી શેર બજારમાં 1980 દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની કંપની ડી-માર્ટ પોતાના આઈપીઓ 2017માં લાવી હતી. 20 માર્ચ 2017 સુધી રાધાકિશન દમાણી એક રિટેલ કંપનીના માલિક હતા. પરંતુ 21 માર્ચેની સવારે તેમણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પોતાની કંપની લિસ્ટ કરાવી અને થોડાક સમયમાં જ તેમની સંપતિમાં 100 ટકાનો વધારો થયો.