અશોક ગેહલોત, દિગ્વીજય કે મનીષ તિવારી લડી શકે ચૂંટણી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા આતુર છે અને સાથે સાથે તેઓ મુખ્યમંત્રીનો હોદ્દો પણ જાળવી રાખવા માગે છે પરંતુ આજે કેરળના કોચ્ચીમાં ભારત જોડો આંદોલન દરમિયાન રાહુલ ગાંધીએ એક સ્પસ્ટ નિવેદન આપીને અશોક ગેહલોતને મોટો ઝટકો આપી દીધો છે. રાહુલે સ્પસ્ટ કહ્યું કે કોંગ્રેસ એક વ્યક્તિ, એક હોદ્દાની પ્રણાલીનું પાલન કરે છે એટલે કે પાર્ટીમાં એક વ્યક્તિને એક જ હોદ્દો આપવામાં આવશે. રાહુલે એવું કહ્યું કે ઉદયપુરની ચિંતન શિબિરમાં કોંગ્રેસે એક વ્યક્તિ, એક હોદ્દાનો જે ઠરાવ કર્યો હતો તેનું પાલન અધ્યક્ષની ચૂંટણીમાં પણ કરવામાં આવશે.
સચિન પાયલટને ધીરજનું ફળ મળી શકે
જો અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદે ચૂંટાય તો તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ છોડવું પડશે અને આવી સ્થિતિમાં કોંગ્રેસ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી શકે છે.
કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી વાર અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને સિનયિર નેતાઓનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કર્યો છે.
Whoever becomes Congress president should remember he represents a set of ideas, a belief system and a vision of India: Rahul Gandhi
જે પણ અધ્યક્ષ બનશે તે એક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરશે
રાહુલ ગાંધીએ કહ્યું કે જે કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષ બને, તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક વિશ્વાસ પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાનું વહન નવા અધ્યક્ષે કરવું પડશે.
Kerala | What we had decided in Udaipur (One Person, One Post) is a commitment of Congress & I expect that commitment will be maintained (on party's presidential post), said Congress MP Rahul Gandhi pic.twitter.com/fyyeCk147h
એક વ્યક્તિ, એક હોદ્દો કોંગ્રેસની પ્રતિબદ્ધતા
રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદયપુરની ચિંતન શિબિરમાં અમે (એક વ્યક્તિ, એક હોદ્દો) જે ઠરાવ કર્યો હતો કે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને મને આશા છે કે અધ્યક્ષની ચૂંટણીમાં પણ આ પ્રતિબદ્ધતા જાળવી રાખવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક હોદ્દો છે- રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યુ કે મેં ગત વખતે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ. હું હજી પણ મારા અગાઉના વલણ પર કાયમ છું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું પદ ઐતિહાસિક પદ છે. તમે આ ઐતિહાસિક સ્થિતિમાં જઈ રહ્યા છો. તે ભારતના એક વિશિષ્ટ દ્રષ્ટિકોણને વ્યાખ્યાયિત કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક પદ છે. તમે (કોંગ્રેસ અધ્યક્ષ) વિચારોના સમૂહનું પ્રતિનિધિત્વ કરો છો. હું માનું છું કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બને તે કોંગ્રેસની આ માન્યતા પ્રણાલી અને વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે.
Congress issues notification for party president elections
રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રાની સફળતા કેટલાક વિચારો પર આધારિત છે. પહેલો વિચાર એ છે કે ભારત અખંડ ઊભું છે, પોતાની જાત સાથે યુદ્ધ નથી કરતું, પોતાનાથી ક્રોધિત નથી, ધિક્કારથી ભરેલું નથી. તેમણે કહ્યું હતું કે, અન્ય બે વિચારો છે, જે આ યાત્રાને આગળ વધારી રહ્યા છે. એક તો બેરોજગારીનું એ સ્તર છે જેનો ભારત આજે સામનો કરી રહ્યું છે. બીજો મુદ્દો ભાવનો છે. આ એવા વિચારો છે જે મુસાફરીને આગળ ધપાવી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે.
यात्रा की सफलता कुछ विचारों पर आधारित है। पहला विचार यह है कि एक भारत अखंड खड़ा है, अपने आप से युद्ध में नहीं है, अपनों से नाराज़ नहीं है, नफरत से भरा नहीं है। यह(यात्रा) कुछ ऐसा है जिसकी अधिकांश भारतीय लोग सराहना करते हैं और पसंद करते हैं: कांग्रेस सांसद राहुल गांधी pic.twitter.com/jPSWaznuB4