પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 16 ઓગસ્ટના AIIMS હોસ્પિટલમાં 5:05 વાગે અંતિમ શ્વાસ લીધા. 93 વર્ષના અટલજી લાંબા ઘણા સમયથી બિમાર હતા અને 2009થી વ્હીલચેર પર હતા તેમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણા દેવી ગૃહણી હતા.
અટલજીના પરિવારમાં તેમના સિવાય માતા-પિતા અને 3 મોટા ભાઇ અવધબિહારી સદાબિહારી અને પ્રેમબિહારી વાજપેયી અને 3 બહેનો હતી અટલજીની પ્રારંભિક શિક્ષા સરસ્વતી શિક્ષા મંદિર બાડામાં થઇ. આ સિવાય અટલજીના ગ્વાલિયરમાં ઘણા સંબંધીઓ છે. તેમાં ભત્રીજા કાંતિ મિશ્રા અને ભાણેજ કરુણા શુક્લા છે. તો ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણેજ સાંસદ અનૂપ મિશ્રા છે.
જોકે અટલ બિહારી વાજપેયી આજીવન અપરિણીત રહ્યા. પરંતુ 1998માં જ્યારે તેઓ 7 રેસકોર્સ રોડમાં રહેવા પહોંચ્યા ત્યારે તેમના મિત્ર રાજકુમારી કૌલની દિકરી અને તેમની દત્તક પુત્રી નમિતા અને તેમના પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ તેમની સાથે રહેવા આવ્યા. રાજકુમારી કૌલ વિશે જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે અટલજી પ્રધાનમંત્રી બન્યા ત્યારે કૌલ વાજપેયીના ઘરની સભ્ય હતા.તેમના નિધન બાદ વાજપેયીના આવાસથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી તેમાં તેમને વાજપેયીના ઘરના સદસ્ય સંબોધિત કરવામાં આવ્યા.
વર્ષ 2004માં લોકસભાની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી તરફથી જમા કરવામાં આવેલા શપથ પત્ર અનુસાર અટલજીના નામ પર કુલ સંપત્તિ 30 99 232.41 રૂપિયા હતી ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી હોવાને નાતે તેમને 20000 રૂપિયાનું માસિક પેન્શન અને સચિવીય સહાયતાની સાથે 6000 રૂપિયાનું કાર્યાલય ખર્ચ પણ મળે છે.
જો અટલજીની અચલ સંપત્તિની વાત કરવામાં આવે તો 2004ના શપથ પત્ર અનુસાર તેમના નામ પર દિલ્હી ઇસ્ટ ઑફ કૈલાશના ફ્લેટ નંબર 509 છે જેની 2004ના સમયની કિંમત 22 લાખ રૂપિયા હતી. જ્યારે અટલજીના પૈતૃક નિવાસ કમલ સિંહ બાગની 2004ના સમયમાં કિંમત 6 લાખ રૂપિયા હતી. આવી રીતે 2004ના શપથ પત્ર અનુસાર અટલજીની કુલ અચલ સંપત્તિ 28 00 000 રૂપિયા હતી.
જોકે હજુ સુધી અટલજીની વસીયત સામે આવી નથી પરંતુ વર્ષ 2005માં સંશોધિત હિન્દુ ઉત્તરાધિકારી એક્ટ અનુસાર આ સંપત્તિ તેમની દત્તક દીકરી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યના મળી શકે છે..