ગુજરાતમાં 2012ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, તો 2017માં પાટીદાર આંદોલનના પરિબળથી કોંગ્રેસનું ગઢ બન્યું
2022માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોનું રહેશે દબદબો
2012માં ભાજપે સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 35 બેઠકો જીતી હતી
2017માં કોંગ્રેસે 45 ટકા મત માર્જિન સાથે સૌરાષ્ટ્રમાં 30 બેઠકો જીતી
ગુજરાતમાં પ્રથમ તબક્કામાંની ચૂંટણી સૌરાષ્ટ ઝોનમાં યોજવાની છે ત્યારે આ વખતે કોંગ્રેસ માટે તેના ગઢ બનેલો સૌરાષ્ટ્ર જાણવવા માટે એક મોટી મુશ્કેલી સમાન રહે છે કે કેમ તે તો સમય બતાવશે. પાટીદાર આંદોલનના કારણે 2017માં કોંગ્રેસને સૌથી વધુ સીટો સૌરાષ્ટ્ર ઝોનમાંથી જ મળી હતી. તમને જણાવી દઈએ કે, આ વખતે આંદોલનકર્તા અને કોંગ્રેસ સાથે જોડાયેલા કેટલાક મોટા ગણાતા માથાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. જેથી સવાલો ઉભા થઈ રહ્યાં છે કે, કોંગ્રેસ આ વખતે તેના ગઢને કેવી રીતે બચાવી શકે છે.રાજકીય ગતિવિધીઓમાં એવું પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ કેટલાક નેતાઓ પાર્ટીને અલવિદા કહી તેથી તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે ભાજપ માટે લાભદાયી નીવડી શકે છે. એ નિશ્ચિત છે કે ગઈ ટર્મ કરતા આ વખતે ચૂંટણી માહોલ જારદાર રીતે ગરમ છે.
સૌરાષ્ટ્રમાં 2012 અને 2017માં કોની કેટલી પક્કડ રહી
છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપ સારી બેઠકો જીતે છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 35 બેઠકો જીતી હતી. પરંતુ 2017 સુધીમાં પાટીદાર આંદોલન કારણે ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. પરિણામે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 45 ટકા મત માર્જિન સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 30 બેઠકો જીતી હતી. રાજકીય નિષ્ણાતો કહે છે કે પાટીદાર આંદોલનના કારણે આ સમગ્ર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને સૌથી વધુ મત મળ્યા હતા. જ્યારે ભાજપને શહેરી વિસ્તારમાં વધુ મત મળ્યા છે. જો કે, છેલ્લી ચૂંટણીઓમાં એવી ઘણી બેઠકો હતી જેમાં ભાજપ બહુ ઓછા મતોથી સીટો ગુમાવી હતી. જો વાત કરીએ તો, ભાજપે ડાંગ વિધાનસભા બેઠક 768 મતથી ગુમાવી હતી, જ્યારે કપરાડા વિધાનસભા બેઠક ભાજપ 170 મતથી હારી હતી.
ભાજપનો માસ્ટર પ્લાન ખેલ પાડશે?
એવી પણ ચર્ચા થઈ રહી છે કે કોળી અને પાટીદાર સમાજ પર જેની સૌથી વધુ પકડ હશે તે સૌરાષ્ટ્રમાં મહારથી બનશે. રાજકીય વિશ્લેષક માનવું છે કે ગત વખતે આ પ્રદેશમાં ભાજપને ઓછી બેઠકો મળી હતી. જેમાં પાર્ટીએ નાની નાની બાબતેમાં ભૂલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌરાષ્ટ્ર વિસ્તારને મજબૂત કરવા અનેક ઘણી બેઠકો કરી છે અને મોટા નેતાઓનો ચર્ચા પણ કરી છે. આથી આ ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે પોતાનો જૂનો ગઢ પાછો મેળવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. ચર્ચા એવી પણ છે કે, કોંગ્રેસ આ વિસ્તારમાં પોતાની તાકાત નથી બનાવી રહી.
આમ આદમી પાર્ટીથી કોની વોટબેંક ઘટશે
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપને અપેક્ષા છે કે આમ આદમી પાર્ટીના સક્રિય થવાથી કોંગ્રેસની વોટબેંકમાં ઘટાડો થશે. રાજકીય સમીકરણોના સંદર્ભમાં ભાજપને આમ આદમી પાર્ટી માત્ર ભાજપના વોટ લૂંટી રહી છે. તેથી, આમ આદમી પાર્ટીની સક્રિયતા કોંગ્રેસને નહીં પરંતુ ભાજપને જબરદસ્ત નુકસાન પહોંચાડી રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની અચાનક વધી ગયેલી સક્રિયતાને કારણે કોંગ્રેસના મજબૂત નેતા એવા ઈન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. હાર્દિક પટેલની વિદાય બાદ કોંગ્રેસ માટે તેને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે મજબૂત મેદાન તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચાર દિવસ પહેલા રાજકીય સમીકરણોનું ગણિત બગાડતા ઈન્દ્રનીલ રાજગુરુ આમ આદમી પાર્ટી છોડીને ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. રાજગુરુના ઘરવાસીથી ફરી એકવાર કોંગ્રેસની સ્થિતિ મજબુત થઈ હોવાનું રાજકીય ચર્ચાઈ રહ્યું છે. રાજકોટના રાજગુરુ ગત ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સામે હતા. જોકે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા.