તારક મહેતા...માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે અવસાન થયું હતું ત્યારે હવે મોટો સવાલ તે છે કે નેક્સ્ટ નટુ કાકા કોણ હશે?
નવા નટુકાકાની શોધ ચાલુ?
કોણ હશે નેક્સ્ટ નટુકાકા?
TMKOCમાં આવશે નવા નટુકાકા?
કોણ ભજવશે નટુકાકાનું પાત્ર?
આપણે સૌ જાણીએ છીએ કે નટુકાકાએ પોતાની એક્ટિંગ થકી એક બેન્ચમાર્ક સેટ કર્યો છે. કોઇ બીજી વ્યક્તિ નટુકાકા બને તો જલ્દી કોઇ સ્વિકારશે કે નહીં તેનો કોઇ અંદાજો લગાવી શકે નહી.
આ છે અંદાજો
મેકર્સ તરફથી કોઇ પ્રકારની કન્ફર્મ વાત સામે આવી નથી પરંતુ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે નટુકાકાની જગ્યાએ અન્ય કોઇ એક્ટર નહી આવે. બાઘાની ફિયોન્સી બાવરી ભણેલી છે અને અકાઉન્ટ્સ પણ સંભાળી શકે તેમ છે. માટે તેને નટુકાકાની જગ્યાએ બેસાડી શકે છે. જેથી બાઘા અને બાવરી બંને લોકો એક જ દુકાનમાં કામ કરે અને હાસ્ય ઉત્પન્ન થતું રહે.
ગોપી ભલ્લાનું નામ પણ ચર્ચામાં
FIRમાં ગોપીનું પાત્ર ભજવનાર ગોપી ભલ્લા ખુબ ફેમસ થયો હતો. ગોપીને લોકો ખુબ પસંદ કર્યો હતો અને તેને નટુકાકાની જગ્યાએ લઇ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
બાઘાએ જણાવી દાસ્તાં
ઘનશ્યામ નાયકની બીમારી દરમિયાન તન્મય તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેતો હતો. ઇન્ટરવ્યૂમાં તન્મયે કહ્યું કે, 'તે છેલ્લા 2-3 મહિનાથી ખુબ તકલીફમાં હતા અને મને એવું લાગે છે કે હવે તે સારી જગ્યાએ છે. હું સતત તેમના દિકરા સાથે સંપર્કમાં હતો. તેમણે જણાવ્યું કે નટુકાકા ખુબ દર્દમાં હતા અને તેના કારણે તેઓ અજીબ વ્યવહાર કરવા લાગ્યા હતા. તે ખાવાનું તો દુર પાણી પણ નહોતા પી શકતા. તેઓ ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. એક રીતે હવે તે ભગવાન પાસે સુરક્ષિત છે. તેમની આત્માને શાંતિ મળે.'
કામ માટે જનૂની હતા નટુ કાકા
તન્મયે આગળ કહ્યું કે, હું હંમેશા ઘનશ્યામજીને એક સારા વ્યક્તિના રૂપમાં જ યાદ કરીશ. મને નથી લાગતું કે હું તેમના જેવી કોઇ વ્યક્તિને મળી શકીશ. તે ખુબ સિંપલ હતા અને ક્યારેય કોઇના વિશે ખરાબ નહોતા બોલતા. તે સકારાત્મક વાતો જ કરતા હતા અને કામને લઇને હંમેશા ઉત્સાહિત રહેતા હતા. હું અને સમગ્ર ટીમ તેમને યાદ કરીશું.