કોંગ્રેસમાં ચાલી રહેલ નેતૃત્વ સંકટની વચ્ચે રાહુલ ગાંધીએ બુધવારે સ્પષ્ટ કહ્યું કે એ રાજીનામું આપી ચૂક્યાં છે અને હવે સત્તાવાર રીતે પાર્ટીના અધ્યક્ષ નથી. રાહુલે બુધવારે મીડિયાના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે પાર્ટીના આગળના અધ્યક્ષ કોણ છે, એનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) કરશે. રાહુલ ગાંધીએ બુધવારે પોતાના અધ્યક્ષ પદેથી સત્તાવાર રીતે રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
આ રાજીનામું તેમણે લોકસભામાં કોંગ્રેસના થયેલ કારમા પરાજયની જવાબદારી લેતાં આપ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાના 4 પેજ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. આ સાથે જે તેમણે પોતાના ટ્વીટરમાંથી અધ્યક્ષ હટાવીને સાંસદ કરી દીધું હતું. જેથી આમ, 37 વર્ષથી વધુ સમય ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ પદે રહેવાની પ્રથાનો એક અધ્યાય પૂરો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદી મળ્યાને 72 વર્ષનો સમયગાળો પસાર થઇ ગયો છે, આ સમયગાળા દરમિયાન 37 વર્ષથી વધારેનો સમય ગાંધી પરિવારના સદસ્ય જ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યાં છે. તો બાકીનો સમયગાળો ગાંધી પરિવારની બહારના વ્યક્તિઓ આ પદ પર રહી ચૂક્યાં છે.
It is an honour for me to serve the Congress Party, whose values and ideals have served as the lifeblood of our beautiful nation.
I owe the country and my organisation a debt of tremendous gratitude and love.
ગાંધી પરિવારની બહારના વ્યક્તિના સમયગાળા દરમિયાન જેઓ પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યા તેમના કાર્યકાળ દરમિયાન પક્ષને સારી સફળતા મળી છે તો ચૂંટણીમાં પણ પક્ષ સારો દેખાવ કરી શક્યો છે. આવામાં સવાલ એ થાય છે કે રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસની કમાન કોના હાથમાં સોંપાશે?
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આ નામોની પણ ચર્ચા
આ સાથે જ કોંગ્રેસના નવા અધ્યક્ષ પદ માટે અન્ય નામોની પણ ચર્ચા કોંગ્રેસીઓમાં ચાલી રહી છે. જેમાં સુશીલકુમાર શિંદે તથા મલ્લિકાર્જૂન ખડગેનું નામ અધ્યક્ષપદની રેસમાં જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખડગે તથા શિંદે મહારાષ્ટ્રના વતની છે.
આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બંન્નેના નેતૃત્વ પણ કોંગ્રેસ માટે અસરકારક સાબિત થઇ શકે છે. તો આ તરફ સુશીલકુમાર શિંદે કોંગ્રેસના વરીષ્ઠ નેતા છે. તેઓ એક સમયગાળામાં ભારતના ગૃહમંત્રી તથા ઉર્જામંત્રી રહી ચૂક્યા છે. તો વળી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે પણ તેઓ ઘણો સમય રહ્યા હતા.
વચગાળાના અધ્યક્ષ તરીકે મોતીલાલ વોરાની થઇ શકે વરણી
Senior Congress leader Motilal Vora on reports that he will be the interim president of the party: I have no information about this. pic.twitter.com/SE6lZP5aHi
રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધા બાદ જ્યાં સુધી નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી મોતીલાલ વોરાની અધ્યક્ષ પદેથી થઇ શકે છે નિમણૂંક. જો કે, મોતિલાલ વોરા જણાવેલ કે આ મામલે હજી સુધી કોઇપણ જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી.
37 વર્ષથી વધારે સમય કોંગ્રેસ અધ્યક્ષ રહ્યો છે 'ગાંધી પરિવાર'
કોંગ્રેસની સ્થાપના સમયથી લઇને 37 વર્ષથી વધારે સમયગાળો ગાંધી પરિવારના સભ્ચો જ પક્ષના અધ્યક્ષપદે રહ્યા છે. જેમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરું 1951 થી 1954 સુધી 4 વર્ષ, ઇન્દિરા ગાંધીનો અધ્યક્ષ પદનો કાર્યકાળ 1969 - 60 તથા 1978 થી 1984 સુધી કુલ 7 વર્ષ રહ્યો.
ત્યારબાદ રાજીવ ગાંધી 1985 થી 91 સુધી 6 વર્ષ સુધી પક્ષની કમાન સંભાળી હતી. રાજીવ ગાંધી બાદ સોનિયા ગાંધીએ 1998 થી લઇને 2017 સુધી સતત 19 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષાની જવાબદારી નિભાવી ત્યારબાદ રાહુલ ગાંધીએ 2017 થી 2019 સુધી દોઢ વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષપદે રહ્યા બાદ આજે બુધવારે તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું હતું.
13 વખત પરિવાર મુક્ત રહી કોંગ્રેસ પાર્ટી
ઉલ્લેખનીય છે કે, 1947માં દેશને આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીને અત્યાર સુધીમાં 18 અધ્યો મળ્યા છે. જે પૈકી 5 અધ્યક્ષ પરિવારમાંથી અને બાકીના 13 અધ્યક્ષ પરિવાર બહારના રહ્યા છે.
- જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 1947માં જેબી કૃપલાની કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ બન્યા. મેરઠ ખાતે યોજાયેલ એક અધિવેશનમાં તેમની પસંદગી પાર્ટીના અધ્યક્ષપદે કરવામાં આવી.
- 1948 -49 સમયગાળામાં પટ્ટાભિ સીતારમૈયાએ સંભાળેલ.
- 1955 થી 1959 સુધી યુએન ઢેબર કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા. ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ 1969માં કોંગ્રસ અધ્યક્ષાની જવાબદારી સંભાળી.
- 1960-63ના સમયગાળા દરમિયાન નીલમ સંજીવ રેડ્ડી કોંગ્રેસ અધ્યક્ષ પદે રહ્યા. ઉલ્લેખનીય છે કે, નીલમ સંજીવ રેડ્ડી દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ પદે પણ રહ્યા છે.
- એસ. નિજલિંગપ્પાએ 1968થી 1969 સુધી કોંગ્રસના અધ્યપદે રહ્યા.
- બાબૂ જગજીવન રામ 1970 થી 71 વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા.
- શંકર દયાલ શર્મા એ 1972થી 74 સુધી કોંગ્રેસનું અધ્યક્ષ પદ શોભાવ્યું ત્યારબાદ તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા.
- 1975-77 ના સમયગાળા દરમિયાન દેવકાંત બરુઆ કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા.
- 1977થી 78ના સમયગાળા દરમિયાન બ્રમ્હનંદ રેડ્ડી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ કોંગ્રેસનું વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીએ આ પદની કમાન સંભાળી. જોંકે 1984માં તેમની હત્યા થતાં દિકરા રાજીવ ગાંધીએ અધ્યક્ષ પદની કમાન સંભાળી.
- 1992 થી 96 ના સમયગાળામાં દેશના પ્રધાનમંત્રી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ ગાંધીની હત્યા થતાં પીવી નરસિમ્હા રાવની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
બિન કોંગ્રેસી અધ્યક્ષ સ્વરૂપે 13માં વ્યક્તિ તરીકે સીતારામ કેસરીનું નામ લેવામાં આવે છે. તેમણે 1996 થી 1998 સુધી પક્ષની કમાન સંભાળી. અંતે ત્યારબાદ કોંગ્રેસ પરિવારની વહું સોનિયા ગાંધીએ પક્ષના અધ્યક્ષા તરીકેને જવાબદારી સંભાળી હતી. અત્રે નોંધનીય છે કે, સોનિયા ગાંધી ઘણો લાંબો સમય એટલે કે 17 વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષા પદે રહ્યા હતા. જો કે, તેમની તબિયત નાદુરસ્ત થતાં દિકરા રાહુલને આ જવાબદારી સોંપી હતી.
ત્યારે આજ રોજ રાહુલ ગાંધીએ રાજીનામું ધરી દીધા બાદ ગાંધી પરિવાર બહારની વ્યક્તિની કોંગ્રેસના અધ્યક્ષ પદે વરણી કરવામાં આવે તો પાર્ટીને ખરેખર શું ફાયદો થાય છે તે આવનારો સમય જ જણાવશે.
ક્યારે થઇ કોંગ્રેસ પાર્ટીના સ્થાપના?
28 ડિસેમ્બર 1985ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC, જેને ઘણી વખત કોંગ્રેસ કહેવામાં આવે છે) સ્થાપના થઈ હતી તે રવિવારનો જ દિવસ હતો. આ પાર્ટીની સ્થાપના બ્રિટિશ સિવિલ સેવાના અધિકારી એલેન ઓક્ટોવિયો હૂયમે કરી હતી. તેની સ્થાપના પાછળ એ ઓ હૂયમનો હેતુ બ્રિટિશ સત્તાનું રાજનીતિક હિત સાધવાનો હતો.
પરંતુ હૂયમ તેમા નિષ્ફળ રહ્યાં અને તે આઝાદીના આંદોલનનો ભાગ બની ગઈ. આઝાદી મળ્યા બાદ મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિસર્જન કરી નાખવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો. પરંતુ તેના પર ચોક્કસ સહમતિ બની શકી નહીં અને પાર્ટી ધીમે-ધીમે આગળ વધતી રહી. સમય વધતો ગયો અને કોંગ્રેસ પાર્ટીને 18 અધ્યક્ષો મળ્યા જેના અંતિમ અધ્યક્ષ ગાંધી પરિવારના રાહુલ ગાંધી રહ્યા.
ઉલ્લેખનીય છે કે ભાજપે ચૂંટણી સમયે પણ કોંગ્રેસના પરિવારવાદને લઈને મુદ્દો બનાવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સત્તાવાર વિદાય બાદ ચર્ચા એ પણ છે કે જો કોંગ્રેસમાં બિન ગાંધી અધ્યક્ષથી નવેસરથી શરૂઆત થશે. આ શરૂઆતથી કદાચ કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં રહેલાં લોકોને નવી આશા જાગે તો નવાઈ નહીં. નિષ્ણાતો માની રહ્યાં હતાં કે કોંગ્રેસને હવે અધ્યક્ષ તરીકે એક બિન ગાંધી ચહેરાની જરૂરત છે. આવામાં જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હવે કોના હાથમાં જશે?