મણિપુર વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. પરિણામ પણ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ 60માંથી 32 સીટો જીતીને બહુમત મેળવી લીધો છે. પણ હવે મુખ્યમંત્રી કોને બનાવવા તે મોટી રામાયણ ઉભી થઈ છે.
મણિપુરમાં મામલો ફસાયો
જીતવા છતાં પાર્ટીમાં ડખ્ખા ઉભા થયાં
કોને મુખ્યમંત્રી બનાવવા તે મોટી માથાકૂટ
મણિપુર વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. પરિણામ પણ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ 60માંથી 32 સીટો જીતીને બહુમત મેળવી લીધો છે. પણ એક મુદ્દામાં કોકડુ ગુંચવાઈ ગયું છે. ત્યાં મુદ્દો છે, મણિપુરનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે ? મણિપુર વિુધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટી એન. બીરેન સિંહને સત્તાવાર રીતે ચહેરો જાહેર ન કરવો.
થોંગામ બિસ્વજીત સિંહ બીજા દાવેદાર
ભાજપના સૂત્રોનું માનીએ તો, મણિપુરમાં મુખ્યમંત્રી પદને લઈને પાર્ટીની અંદર ખેંચતાણ ચાલી રહી છે. એટલા માટે ચૂંટણી પહેલા કોઈ પણ સત્તાવાર રીતે સીએમ ફેસ નામિત નથી કર્યા. એન બીરેન સિંહે મુખ્યમંત્રી તરીકે મણિપુરમાં 5 વર્ષ સુધી એક સફળ નેતૃત્વ કર્યું હતું, પણ પાર્ટીની અંદર તેમને પડકાર મળી રહ્યો હતો. થોંગામ બિસ્વજીત સિંહ મુખ્યમંત્રી પદના દાવેદારોમાના એક છે.
અંદરખાને ડખ્ખા ઉભા થયાં
તેમણે બીરેન સિંહ પહેલા ભાજપ જોઈન કરી હતી. ભાજપના સૂત્રોનું માનીએ તો, થોંગામ બિસ્વજીત સિંહને 2017માં લાગ્યું હતું કે, વરિષ્ઠ હોવાના નાતે તેમને મણિપુરના મુખ્યમંત્રી બનાવામાં આવશે, પણ ભાજપના કેન્દ્રીય નેતૃત્વે એન બીરેન સિંહને મુખ્યમંત્રી તરીકે બેસાડી દીધા. આ નિર્ણયથી થોંગામ બિસ્વજીત સિંહ નારાજ થઈ ગયા હતા. ડેમેજ કંટ્રોલ કરવા માટે થોંગામને મણિપુર સરકારમાાં મહત્વનું મંત્રાલય આપીને મામલો શાંત પાડી દીધો હતો.
દિલ્હીમાં નાખ્યા હતા ધામા, પણ વાત ન બની
જો કે, તેનાથી વાત બની નહીં, થોંગામ વિસ્વજીત સિંહ પાંચ વર્ષ દરમિયાન એન બીરેન સિંહની સાથએ પોતાના મુદ્દાને લઈને કેટલીય વાર દિલ્હીમાં આવી ચુક્યા છે અને કેન્દ્રીય નેતૃત્વ સામે પોતાની વાત રાખી હતી. જો કે, મણિપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેટલીય વાર કહ્યું કે, એન બીરેન સિંહના નેતૃત્વમાં સરકારે રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.
ભાજપ હાઈકમાન્ડ માટે મોટુ ટેન્શન
રાજકારણના જાણકારોનું માનીએ તો, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એન બીરેન સિંહને ફરી એક વાર મણિપુરની કમાન સોંપવા માગે છે, પણ જો બીરેન સિંહ સીએમ બન્યા તો, બિસ્વજીતના સમર્થકો વિરોધ કરી શકે છે. અને જો થોંગામ બિસ્વજીત સિંહને મુખ્યમંત્રી બનાવામં આવે તો, એન બીરેન સિંહના સમર્થકો હોબાળો મચાવશે.
ગોવિંદદાસ કોંથોઝમ ત્રીજા દાવેદાર
મણિપુરના આગામી મુખ્યમંત્રી પદના દાવેદારોમાંના અન્ય એક ગોવિંદદાસ કોંથોઝમ છે. તેઓ કોંગ્રેસના પૂર્વ રાજ્ય પ્રમુખ રહી ચુક્યા છે. જે ઓગસ્ટ 2021માં ભાજપમાં જોડાયા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સાથે પણ જોડાયેલા છે. આ વાત તેમના માટે પ્લસ પોઈન્ટ છે. ગોવિંદદાસે 2022 વિધાનસભા ચૂંટણીમાં મણિપુરની બિષ્ણુપુર સીટથી જીતીને વિધાનસભા પહોંચ્યા છે.
હાઈકમાન્ડ નક્કી કરશે કોણ બનશે મુખ્યમંત્રી
ભાજપના પ્રદેશ કમિટીના પ્રમુખ અધિકારી માયૂમ શારદા દેવીએ કહ્યું હતું કે, અમારી પાર્ટીમાં કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે કે, મણિપુરનો આગામી મુખ્યમંત્રી કોણ હશે. હાઈકમાન્ડ જે નામ પર મહોર લગાવશે, અમે તેની સાથે ઉભા રહીશું. જો કે, બીરેનના જમાઈએ તાજેતરમાં કહ્યું હતું કે, પાર્ટી કાર્યકર્તા સાથે રાજ્યની જનતા પર ઈચ્છે છે કે, મારા સસરા ફરી એક વાર મુખ્યમંત્રી બને, એન બીરેન સિંહે ગત રોજ રાજ્યપાલને રાજીનામુ સોંપી દીધું છે.