મોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદને મળી શકે સ્થાન છે તેવા અહેવાલો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ગુરૂવારે બીજી એક વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના કેટલાક સાંસદોને પણ સ્થાન મળી શકે છે. ભાજપના દિગ્ગજ નેતા અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહને મોદી સરકારના મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન મળી શકે છે તેવું નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે જ મનસુખ માંડવિયાને ફરી કરવામાં રિપીટ કરવામાં આવી શકે છે. તો આ સાથે જ નવસારીના સાંસદ સીઆર પાટીલ, પુરષોતમ રુપાલા-જસવંતસિંહ ભાંભોર બન્નેમાંથી એકને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો વળી વડોદરા બેઠકના ઉમેદવાર રંજન બેન ભટ્ટના નામ અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોનું માનવું છે.