કોરોના વાયરસને લઈને લૉકડાઉનના અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે અનેક દેશોમાં ઈમ્યુનિટી પાસપોર્ટ અને જોખમ મુક્ત સર્ટિફિકેટના આધારે લૉકડાઉનમાં રાહત આપવા માટે વિચાર કરવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ આ પગલાંને આખી દુનિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે વધુ એક માઠા સમાચાર
WHOએ કોરોના સંક્રમણ મુદ્દે આપી આ ચેતવણી
સ્વાસ્થ્ય સંગઠને ઈમ્યુન સિસ્ટમને લઈને આપી તકેદારી
ફરી સંક્રમણ નહીં થાય તેમ માનવું ખોટુંઃ WHO
WHOએ જણાવ્યું છે કે દુનિયાભરમાં અનેક કેસ સામે આવ્યા છે અને સાથે કોરોના પીડિતોને સારા થયા બાદ ફરી સંક્રમિત થયા છે. એવામાં એ વાતને માનવામાં આવી શકે તે ફરી સંક્રમણનો શિકાર નહીં થાય અને તેઓ સુરક્ષિત છે.
WHOએ આપી આ ચેતવણી
WHOએ ઈમ્યુનિટી પાસપોર્ટને લઈને ફરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે લોકો એમ વિચારી રહ્યા છે કે તે ફરી સંક્રમણની ઝપેટમાં નહીં આવે તો તેની કોઈ ગેરંટી નથી. વાયરસ ફરી હાવી થઈ શકે છે. સાથે સાથે એન્ટીબોડીઝની સત્યતા પરખવી પડશે. તેની અસરની તપાસ કરવી પડે. કેટલાક દેશો ઈમ્યુનિટી પાસપોર્ટ અને રિસ્ક ફ્રી સર્ટિફ્કેટ આપીને લોકોને કામ પર પાછા ફરવાની પરવાનગી આપવા માંગે છે. પણ અત્યારે વધારે શોધની જરુર છે એ બાદ આ સર્ટિફિકેટ પર વિચાર કરી શકાય.
સ્વાસ્થ્ય સંગઠને કહી આ વાત
સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ પ્રકારની યોજનાઓ દુનિયાભરમાં કોરોનાનો ખતરો વધારશે. સાથે જ પોતાની ઈમ્યુન સિસ્ટમને લઈને તકેદારી રાખવાનું બંધ કરાશે તો તે ફરીથી ઉથલો મારશે.
દુનિયાભરમાં હાલ સુધીમાં કુલ 29 લાખથી પણ વધુ કેસ
દુનિયાભરમાં હાલ સુધીમાં કુલ સાડા 29 લાખથી પણ વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાં બે લાખથી પણ વધારે લોકોના મોત થયા છે. સાથે આ વાતનું સબૂત મળી રહ્યું નથી કે જે લોકોમાં સંક્રમણની સાથે સાજા થયા બાદ એન્ટીબોડી વિકસિત થયું છે. તેમની પર વાયરસ ફરીથી એટેક કરશે નહીં.