આખું વિશ્વ આજે કોરોના વાયરસથી ત્રાહિમામ પોકારી રહ્યું છે અને લોકોને આમાંથી સાજા થવા માટે અનેક પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તે જ સમયે આ દવાઓના ઉપયોગને લઈને હવે WHO એ એક ગંભીર ચેતવણી જાહેર કરી છે.
એન્ટીબાયોટિક દવાઓના વધુ ઉપયોગથી બીજી બીમારીનો ખતરો
ઘણા લોકોએ હવે કોરોના વાયરસથી બચવા માટે એન્ટિબાયોટિક દવાઓ લેવાની શરૂ કરી છે પરંતુ કદાચ આ દવાઓના વધુ પડતાં ઉપયોગ લોકોની ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ આ વિશે ચેતવણી આપી છે, તેના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વધુ એન્ટિબાયોટિક લેવાથી ગોનોરિયા ના કેસોમાં વધારો થવાનું જોખમ વધ્યું છે.
ઘણી પ્રકારની દવાઓનો સારવારમાં ઉપયોગ થઈ રહ્યો છે
કોરોના વાયરસની પૂર્ણ સારવાર તરીકેની કોઈ દવા કે વેક્સિન હજુ સુધી બનાવવામાં આવી નથી અને તેને લઈને ઘણી પ્રકારની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે જો કે તેમાં એન્ટીબાયોટિક્સના ઉપયોગને લઈનેન એક ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. કોરોનાના પ્રારંભિક તબક્કે એન્ટિબાયોટિક નો ઉપયોગ કરવો નુકસાનકર્તા બની શકે છે. એક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે એઝિથ્રોમાઇસન એન્ટીબાયોટિક , જે સામાન્ય એન્ટિબાયોટિક છે, તેનો શ્વસન સમસ્યાઓ માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે.
WHO ના અહેવાલ મુજબ, આ દવાઓ પર વધુ પડતી નિર્ભરતાને કારણે, સુપર ગોનોરિયા ના કેસોમાં વધારો થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે અને આ બીમારીને લઈને કોરોના દર્દીઓ અને અન્ય લોકો માટે પણ WHO દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.
શું છે ગોનોરિયા ?
આ રોગ ગોનોરિયા નામના બેક્ટેરિયાથી થાય છે. અસુરક્ષિત સેક્સ, ઓરલ સેક્સ અને અકુદરતી સેક્સને કારણે આ ચેપ ફેલાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ રોગના ઇલાજ માટે આપવામાં આવતી એન્ટિબાયોટિક્સ વધુને વધુ બેઅસર બની રહી છે.
શું આ રોગ અસાધ્ય થઈ શકે છે ?
યુકેની ફાર્માસ્યુટિકલ કંપની બાયોટાસ્ફરિક લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ, કેવિન કોક્સએ ધ સન અખબારને જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રેકટિસ રોગ માટે વધુ ખતરનાક બની શકે છે, WHO એ કહ્યું હતું કે છેલ્લા થોડા સમયમાં ગોનોરિયા ના બેક્ટેરિયામાં દવા પ્રતિરોધી ક્ષમતામાં ઘણો વધારો થયો એમ જોઈ શકાય છે.