વાયરલ મેસેજમા દાવો કરાયો કે WHO એ પોતાની ભૂલ સ્વીકારીને યુ-ટર્ન લીધો છે અને કોરોના સીઝનલ વાયરસ ગણાવ્યો છે.
વાયરલ મેસેજમા અનેક દાવા
કોરોના સીઝનલ વાયરસ-નવો દાવો
WHO એ પોતાની ભૂલ સ્વીકારીને યુ-ટર્ન લીધો
જાણો સરકારનો જવાબ
સોશિસલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે WHO એ કહ્યું છે કે આ હવામાન ફેરફારને કારણે થનારી ખાંસી, શરદી, ઉધરસ તથા ગળામાં દુખાવો થાય છે. તેનાથી ગભરાવવાની જરુર નથી. દર્દીઓએ અલગ રહેવાની પણ જરુર નથી અને લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સિગ રાખવાની જરુર નથી.
.@WHO द्वारा कथित रूप से #कोरोना के सीजनल वायरस होने का दावा किया जा रहा है जिसमें शारीरिक दूरी और आइसोलेशन की जरूरत नहीं है#PIBFactCheck:यह दावा #फर्जी है।#COVID19 एक संक्रामक रोग है व इसमे #कोविड अनुकूल व्यवहार अपनाना आवश्यक है।
આ વાયરલ મેસેજ બીજા લોકોને મોકલવાની પણ અપીલ પણ કરાઈ રહી છે. પરંતુ શું આ દાવો સાચો છે. કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી. આ વાયરલ મેસેજની તપાસ કરવી ખૂબ જરુરી હતી કારણ કે તેમાં ઘણા ગેરમાર્ગે દોરનારા દાવા હતા જેને કારણે કોરોનાની સામે દેશની લડાઈને નુકશાન પહોંચાડી શકે છે.
પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોની ફેક્ટ ચેક વિંગે આ દાવાનો ખોટો ગણાવ્યો છે.