ડબ્લ્યૂએચઓની ચીફ સાયન્ટિસ્ટ ડો. સોમ્યા સ્વામીનાથને કહ્યુ, કે ભારતીય ડબલ મ્યૂટેંટ કોરોના વાયરસ વધારે સંક્રમિત છે. પરંતુ આ રસીનો પ્રતિરોધક નથી.
ભારતીય ડબલ મ્યૂટેંટ કોરોના વાયરસ વધારે સંક્રમિત
ભારતીય ડબલ મ્યૂટેંટ રસીનો પ્રતિરોધક નથી
રસી આજે પણ ગંભીર બિમારી અને મોતને રોકે છે
ભારતીય ડબલ મ્યૂટેંટ કોરોના વાયરસ વધારે સંક્રમિત
દેશમાં કોરોનાનો કહેર સતત ચિંતા વધારી રહ્યો છે. તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના પ્રમુખ વૈજ્ઞાનિકે ભારતમાં વધી રહેલા કારોનાના મામલામાં પ્રતિક્રિયા આપી છે. ડબ્લ્યૂએચઓની ચીફ સાયન્ટિસ્ટ ડો. સોમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતીય ડબલ મ્યૂટેંટ કોરોના વાયરસ વધારે સંક્રમિત છે. પરંતુ આ રસીનો પ્રતિરોધક નથી.
લોકોને કોરોનાની રસી લગાવવા માટે અપીલ
ડો. સોમ્યા સ્વામીનાથને સોમવારે કહ્યુ કે એક પ્રારંભિક આંકડાથી ખબર પડે છે કે ભારતીય ડબલ મ્યુટેંટ વધારે સંક્રમક છે. જેનાથી દેશમાં સંક્રમણના મામલામાં વધારો થઈ રહ્યો છે. તેમણે આ દરમિયાન લોકોને કોરોનાની રસી લગાવવા માટે અપીલ કરતા કહ્યુ કે રસીકરણ મહત્વપૂર્ણ છે કેમ કે દેશમાં આ કોરોના મામલાની ગંભીરતાને ઓછી કરી શકાય. એક મીડિયા ઈન્ટરવ્યૂહમાં સ્વામાનાથને કહ્યુ કે ડબલ મ્યૂટેશન સ્ટ્રેનમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા વેરિએન્ટ સામેલ છે અને આ શરીરની રોગપ્રતિકારક પ્રતિક્રિયા માટે સમજ નથી આવતા અને બચીને નિકળી જાય છે.
ખતરનાક વેરિએન્ટથી બહાર આવવાની આશંકાને વધારે
તેમણે કહ્યુ કે ભારતમાં કોરોના કેસમાં વધારો વધારે ખતરનાક વેરિએન્ટથી બહાર આવવાની આશંકાને વધારે છે. પ્રારંભિક આંકડા જણાવે છે કે ભારતીય વેરિએન્ટ વધારે સંક્રમક છે. ડબ્લ્યૂએચઓ ભારતમાં મામલા અને મોતની સંખ્યા અંગે ચિંતિત છે. વિશ્વ સ્તર પર કોરોનાના મામલા અને મોતની સ્થિતિ સ્થિર છે. પરંતુ દક્ષિણ એશિયામાં નથી. કુલ મળીને સંખ્યા જણાવે છે કે શું થઈ રહ્યું છે. રાજ્ય સ્થાનીય સ્તરના આંકડાના ઉંડાણ સુધી જવાની જરુર છે.
રસી આજે પણ ગંભીર બિમારી અને મોતને રોકે છે
ભારતમાં ઉપલબ્ધ રસીની અસરકારકતા પર જણાવ્યું કે આ બતાવવા માટે કોઈ આંકડા નથી પરંતુ ડબલ મ્યૂટેંટ રસી પ્રતિરોધી છે. ભારત અને અન્ય જગ્યાઓ પર ઉપલબ્ધ તમામ રસી આજે પણ ગંભીર બિમારી અને મોતને રોકે છે. ભલે તમને સંક્રમણ થાય. રસી ક્યાં પણ હોય અથવા કોઈ પણ હોય તમે તેને લઈ લો. જો તમે તેના માપદંડમાં ફિટ થાય છો તો પ્લીઝ લઈ લો.