કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઇ હતી, હવે વિશ્વ આરોગ્ય સંસ્થાના કેટલાંક નિષ્ણાંતો આ જાણવા માટે ચીન પહોંચ્યાં છે કે આ મહામારીની શરૂઆત કેવી રીતે થઇ? WHoના બે નિષ્ણાંતો પહેલા બે દિવસ બીજિંગમાં વિતાવશે, જ્યાં આ તપાસ અંગેની તૈયારીઓ શરૂ થશે.
કોરોનાના ઉદ્દભવ પર શરૂ થશે તપાસ
WHOની નિષ્ણાંતોની ટીમ પહોંચી બીજિંગ
જેમાં એક જાનવર (પશુ)ના નિષ્ણાંત છે, જ્યારે બીજા રોગશાસ્ત્રી (એપિડિમિલોજિસ્ટ નિષ્ણાંત), આ તપાસ દરમિયાન ખાસ એ ધ્યાનમાં લેવામાં આવશે કે આ વાયરસ પશુઓમાંથી મનુષ્યોમાં કેવી રીતે આવ્યો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસની શરૂઆત ચામાચિડીયાથી થઇ હતી, ત્યારબાદ આ કેટલાંક બીજા પશુઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો છે.
ચીન તરફથી ત્યારબાદ પશુઓની માર્કેટ, તેમજ તેમના વેચાણને લઇને કેટલાંક ફેરફાર કરવામાં આવ્યાં. પરંતુ તેમ છતાં ચીન સતત વિશ્વના દેશોના નિશાન પર જોવા મળ્યું. આ દબાણની વચ્ચે WHOએ જાહેરાત કરી હતી કે તેઓ વાયરસ કેવી રીતે ઉદ્દભવ્યો તે અંગેની જાણકારી માટે ચીનમાં ટીમ મોકલશે, જેના પર ચીને સહમતિ બતાવી અને કહ્યું કે દુનિયાના દરેક દેશમાં આ અંગે તપાસ થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન પર આરોપ લગાવામાં આવ્યો હતો કે કોરોના વાયરસના મામલે તેણે ચીનને સાથ આપ્યો છે, જેના કારણે અમેરિકાએ WHO ને છોડી દીધું. ગત દિવસોમાં અમેરિકાએ આ અંગે સત્તાવાર નોટિસ પણ મોકલી.
આમ કોરોના વાયરસની તપાસ માટે WHOની ટીમ ચીન પહોંચી છે. જેમાં WHOના બે વિશેષજ્ઞ ચીની વૈજ્ઞાનિકો સાથે તપાસ કરશે. હાલ વિશ્વભરમાં કોરોનાના 1 કરોડ 26 લાખથી વધુ કેસ નોંધાયાં છે. વિશ્વના 120થી વધુ દેશોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. WHOની ટીમ ચીનથી કોરોના ફેલાયો છે નહીં તે અંગેની તપાસ કરશે. ચીન વિરુદ્ધ ધીમી કામગીરી સામે અમેરિકા રોષ વ્યકત કરી ચૂક્યું છે. અમેરિકા WHO પર આરોપ પણ લગાવી ચૂક્યું છે.