ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે 2018માં ભાર્ગવના ઘરે 3 દિવસ સુધી દરોડા પાડ્યા હતા. જેમાં 28 લાખ રોકડ અને 50 લાખના ઘરેણા જપ્ત થયા હતા. પૂછપરછમાં શક્તિ ભાર્ગવ 10 કરોડથી વધારે કમાણીનો સ્ત્રોચ જણાવી શક્યા નહતા. આ ઉપરાંત શક્તિ ભાર્ગવની ઘણી કંપનીઓ માટે પણ જાણવા મળ્યું હતું.
ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિન્હા રાવ પર પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન જૂતા ફેંકનાર વ્યક્તિ શક્તિ ભાર્ગવ હાલ પોલીસ કસ્ટડીમાં છે. અચાનક આ પ્રકારની આટલી મોટી પાર્ટીના પ્રવક્તા પર જૂતા ફેંકનાર આ વ્યક્તિના ફેસબુક પેજને જોઇને એવું લાગી રહ્યું છે કે એ સરકારથી ખૂબ નારાજ છે, એના ફેસબુક અકાઉન્ટ પર ઘણી એવી પોસ્ટ છે, જેમાં એ પોતાને વિસલ બ્લોઅર જણાવી રહ્યો છે.
કોન છે શક્તિ ભાર્ગવ?
શક્તિ ભાર્ગવ કાનપુરનો રહેવાસી છે, જે એને પોતે પોતાના ફેસબુક પ્રોફાઇલમાં લખ્યું છે. શક્તિ ભાર્ગવે ઘણા લાંબી પોસ્ટ લખી છે, જેની શરૂઆતની લાઇન છે-
2014માં નરેન્દ્ર મોદી- ના ખાઉંગા ના ખાને દૂંગા
2019માં નરેન્દ્ર મોદી- ભ્રષ્ટાચારની વિરુદ્ધ કોઇ આવાજ નહીં.
શક્તિ ભાર્ગવે પોતાની પોસ્ટમાં પીએસયૂ કર્મચારીઓના આપઘાતનો ઉલ્લેખ કરતા એના માટે સરકારને જવાબદાર ગણાવી છે.
શક્તિ ભાર્ગવની વિરુદ્ધ ચાલી રહ્યો છે કેસ
એવી માહિતી મળી રહી છે કે શક્તિ ભાર્ગવની વિરુદ્ધ ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ ચાલી રહી છે. શક્તિ ભાર્ગવે સાડા 11 કરોડના 3 બંગલા પણ ખરીદ્યા હતા. શક્તિ ભાર્ગવના માતા-પિતાએ પણ એની પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે 2018માં ભાર્ગવના ઘરે 3 દિવસ સુધી દરોડા પાડ્યા હતા. જેમાં 28 લાખ રોકડ અને 50 લાખના ઘરેણા જપ્ત થયા હતા. આટલું જ નહીં શક્તિ ભાર્ગવની ઘણી કંપનીઓ માટે પણ જાણકારી મળી હતી.
ગુરુવારે પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન શક્તિ ભાર્ગવ પત્રકારોની સાથે પહેલી લાઇનમાં બેઠા હતા અને જેવા બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિન્હાએ બોલવાનું શરૂ કર્યું એમની પર જૂતા ફેંક્યા. જો કે એમને પોલીસ પકડીને લઇ ગઇ.