કોરોના વાયરસના ભયને લઈને દેશભરમાં લૉકડાઉન 4.0માં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આ સમયે વૈજ્ઞાનિકોએ ચિંતા જાહેર કરી છે. તેમનું કહેવું છે કે નિયમોમાં રાહત મળતાં જ લોકો એકસાથે ઘરની બહાર નીકળવા લાગ્યા છે અને એકમેકના સંપર્કમાં આવશે. જે ખતરારૂપ સાબિત થઈ શકે છે.
લૉકડાઉનની છૂટને લઈને રાહત સાથે ચિંતા પણ
છૂટછાટ અંગે WHOએ આપી ખાસ ચેતવણી
લોકોએ રાખવું પડશે સોશ્યલ ડિસ્ટનસિંગનું ધ્યાન
લૉકડાઉનના નિયમમાં છૂટ મળતાંની સાથે જ વૈજ્ઞાનિકોના મનમાં ડર છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતાં જ લોકો એકમેકની નજીક આવે અને સાથે ફરીથી મહામારી ફેલાશે.
એકમેકનો સંપર્ક પહેલાંથી પણ વધતાં થઈ શકે છે મુશ્કેલી
WHO પણ કોરોના વાયરસના કારણે લૉકડાઉનને લઈને લોકોની ગંભીરતાને ધ્યાનમાં રાખી રહ્યા છે. યૂરોપમાં WHOની ટેકનિકલ ઓફિસરે કહ્યું કે દેશમાં લૉકડાઉનના સંશોધનને લાગૂ કરવાની સાથે સરકારને જરૂર હતી કે તે લોકોના મનને સમજે.નિયમોમાં છૂટ મળતાં જ સોશ્યલ લાઈફમાં કોરોના વધી શકે છે. સાથે મળીને રહેવાથી સંક્રમણનો ખતરો વધી શકે છે.
WHO આ વાતને લઈને પણ છે અવઢવમાં
તેઓએ વધુમાં કહ્યું કે કેટલાક લોકો એ વાતને લઈને મુશ્કેલીમાં છે કે તેઓ એવા લોકોને મળી શકતા નથી જેમને સોશ્યલ સપોર્ટની પણ જરૂર છે. તેઓ ન તો ડોક્ટર પાસે વેક્સીનેશન માટે જઈ શકે છે અને ન અન્ય લોકોના સંપર્કમાં આવે છે.
હાલમાં દેશમાં લૉકડાઉનને લઈને સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે આ તમામ બાબતો તમારા માનસિક સ્વાસ્થ્ય, આઈસોલેશન, ક્વૉરન્ટાઈન, મેન્ટલ હેલ્થ અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે જોડાયેલા છે. સાથે જ તમારી સામાજિક ગતિવિધિ અને આર્થિક સ્થિતિ, સંસ્કૃતિ, કે સામાજિક દબાણ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. આ સિવાય દરેક બાબતોને કંટ્રોલમાં રાખવી એ પણ મુશ્કેલ કામ છે.