વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કહ્યું કે અમેરિકા કોરોના રસીના ઉત્પાદન સાથે જોડાયેવા કાચા માલ પર પ્રતિબંધ નહીં લગાવી શકાય. આ માટે આવનારા અઠવાડિયે બેઠક આયોજિત થશે.
મહામારી સાથે જોડાયેલા કોઈ પણ કામમાં અડચણ ઉભી નહીં કરી શકાય
બેઠકમાં કોઈ ઉકેલ જરુર નીકળશે
અમેરિકાનો નિર્ણય ઘણુ નુકસાન કરી શકે છે
મહામારી સાથે જોડાયેલા કોઈ પણ કામમાં અડચણ ઉભી નહીં કરી શકાય
એક તરફ વિશ્વ બેંક તરફથી આયોજિત ચર્ચામાં આ મુદ્દો ઉઠાવનારા સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું કે આવનારા કેટલાક અઠવાડિયા ઉત્પાદન પર અસર નહીં પડે પરંતુ આ બાદ મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. WHOની મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોરોનાની રસીને લઈને દુનિયાના તમામ મોટા દેશોની વચ્ચે કરાર થયા છે. જેમાં સ્પષ્ટ છે કે રસી અથવા કોવિડ મહામારી સાથે જોડાયેલા કોઈ પણ કામમાં અડચણ ઉભી નહીં કરી શકાય.
બેઠકમાં કોઈ ઉકેલ જરુર નીકળશે
આ માટે કાચા માલ વગેરેની આયાત- નિર્યાત પર કોઈ પણ દેશ પ્રતિબંધ ન લગાવી શકે. અમેરિકાના આ નિર્યણને લઈને સોમવારે અને મંગળવારે પ્રતિનિધિમંડળની બેઠક થવા જઈ રહી છે. આશા છે કે તે બેઠકમાં કોઈ ઉકેલ જરુર નીકળશે.
અમેરિકાનો નિર્ણય ઘણુ નુકસાન કરી શકે છે
આનાથી દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ પૂનાવાલાએ કહ્યું કે કોરોનાની મહામારીના આ સમયમાં જ્યાં દરેક દેશો એક બીજાનો સહયોગથી આગળ વધી રહ્યા છે. તેવામાં સીરમ પણ દુનિયાના અનેક દેશોની જરુરીયાતોને પૂરી કરવામાં રાત દિવસ ઉત્પાદન કરી રહ્યું છે. પરંતુ અમેરિકાનો નિર્ણય ઘણુ નુકસાન કરી શકે છે.
રસીનું ઉત્પાદન ઓછું અથવા સંપૂર્ણ રોકવું પડી શકે છે
વર્તમાનમાં રસીનો પુરતો ભંડાર અને ઉત્પાદન માટે પુરતો કાચો માલ છે. પરંતુ આવનારા કેટલાક અઠવાડિયા સુધી કામ ચાલશે. અમેરિકાએ આ નિર્ણય પાછો ન લીધો તો કદાચ આનારા કેટલાક અઠવાડિયા બાદ રસીનું ઉત્પાદન ઓછું અથવા સંપૂર્ણ રોકવું પડી શકે છે. પૂનાવાલાએ કહ્યું કે નોવાવેક્સ રસીના મુખ્ય ઉત્પાદક હોવાના કારણે તેમને આ વસ્તુઓની જરુર છે. જો અમે પુરી દુનિયા માટે નિર્માણની વાત કરીએ તો અમને મહત્વપૂર્ણ કાચા માલને લીને સમસ્યા ઉભી થઈ શકે છે.
કેમ કે થઈ રહી છે ચિંતા
અમેરિકામાં જો બાયડન પ્રશાસને પોતાના દેશમાં રસીકરણ કાર્યક્રમને સ્પીડ આપવા માટે ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગૂ કરવાનું એલાન કર્યુ છે. આ બાદ રસી ઉત્પાદન સાથે જોડાયેલા કાચા માલની નિકાસ પર પ્રતિબંધ આવી શકે છે. આને લઈને રસી ઉત્પાદન કંપનીઓ સવાલ ઉભા કરી રહી છે. પૂનાવાલાએ કહ્યું કે આ માટે બાયડન પ્રશાસન સાથે ચર્ચા કરવાની જરુર છે.