WHOએ કહ્યું કે લોકડાઉનના નિર્ણયને લઈને કામના કલાકમાં 10 ટકાનો વધારો થયો છે. જેનાથી કર્મચારીઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે. અઠવાડિયામાં 55 કલાકથી વધુ કામ કરવું ખતરનાક.
WHO અને શ્રમ સંગઠને કરી શોધ
અઠવાડિયામાં 55 કલાક કે તેનાથી વધારે કામ કરવું ખતરનાક
અનેક બીમારીઓનો રહે છે ખતરો
જે લોકોને મોડે સુધી કામ કરવાની આદત છે તેમના માટે આ રિપોર્ટ છે. WHOએ કહ્યું છે કે કોરોના વાયરસમાં આ વધારે કામ કરવાની આદત જીવલેણ સાબિત થઈ શકે છે. તેના કારણે વર્ષે અનેક લોકો પોતાનો જીવ ખોવી રહ્યા છે.
2016માં થયા હતા આટલા મોત
લાંબા સમય સુધી કામ કરવાથી જીવને જોખમ રહે છે અને સાથે નુકસાનના સંબંધમાં WHOએ કહ્યું કે આ આદત બદલી લેવાની જરૂર છે. 2016માં લાંબા સમય સુધી કામ કરવાના કારણે 745,000 લોકોના સ્ટ્રોકના કારણે અને હાર્ટ એટેકના કારણે મોત થયા હતા.
Heart Diseaseમાં 42 ટકાનો વધારો
WHOના અધિકારી ફ્રેંક પેગાએ કહ્યું કે મોડે સુધી કામ કરવાનું જીવલેણ બની શકે છે. તેઓએ કહ્યું કે 2000-20016 સુધી એટલે કે 16 વર્ષમાં બીમારીથી થનારા મોતમાં હાર્ટ સંબંધી બીમારીમાં 42 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સ્ટ્રોકના કેસમાં 19 ટકાનો વધારો જોવા મળે છે. જે દર્શાવે છે કે સ્થિતિ સારી નથી.
પુરુષો વધારે પ્રમાણમાં બની રહ્યા છે શિકાર
WHO અને શ્રમ સંગઠન દ્વારા કરાયેલા એક અધ્યયનથી જાણવા મળ્યું કે ખાસ કરીને 72 ટકા પુરુષો આ બીમારીથી પીડિત હતા. તેમાં મધ્યમ અને તેનાથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. તેમને ખ્યાલ આવે છે કે કામના કલાકનો પ્રભાવ લાંબા સમય બાદ જોવા મળે છે. લાંબી શિફ્ટમાં કામ કરનારાના શરીર પર વિપરિત પ્રભાવ હોય છે મોટા ખતરાના રૂપમાં લાંબા સમયે જોવા મળે છે. અને તેનાથી બચવાનું અશક્ય બને છે.
અહીં જોવા મળે છે સૌથી વધારે પ્રભાવ
WHOના અનુસાર દક્ષિણ પૂર્વ એશિયા અને પશ્ચિમ પ્રશાંતના ક્ષેત્રમાં રહેનારા લોકો, જેમાં ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં 55 કલાક કે તેનાથી વધારે કામ કરવામાં સ્ટ્રોકનો ખતકો 35 ટકા અને દિલની બીમારીનો ખતરો 17 ટકા વધારે રહે છે. WHOએ સ્પષ્ટ કર્યુ છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કહેવાયું છે કે અઠવાડિયામાં 55 કલાકથી વધારે નુકસાન થાય છે.
Lockdown માં વધી જાય છે કામ
ફ્રેંક પેગાએ કહ્યું કે અમારી પાસે સબૂત છે કે જે દેખાડે છે કે જ્યારે લોકડાઉન જેવા નિર્ણય લેવાય છે જે કામકાજના કલાકની સંખ્યામાં લગભગ 10 ટકાનો વધારો થાય છે. તેની સીધી અસર કર્મચારીના સ્વાસ્થ્ય પર થાય છે. તેઓએ કહ્યું કે કામકાજના કલાકને ઓછા રાખવા ફાયદારૂપ છે. જેનાથી કર્મચારીની ઉત્પાદકતામાં વધારો જોવા મળ્યો છે.પૈગાએ કહ્યું કે આર્થિક સંકટના સમયમાં મોડે સુધી કામ કરવાના માટે બચવું એક સ્માર્ટ વિકલ્પ છે.