વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને વિવિધ ભ્રમણાઓ પ્રવર્તી રહી છે. કોરોના વાયરસની જેમ જ વિવિધ દાવાઓ અને અહેવાલો ખૂબ વાયરલ થઇ રહ્યા છે ત્યારે WHOએ મોસમ અને કોરોના વાયરસના સંબંધને લઈને વિશ્વને ભ્રમમાં ના રહેવાની સલાહ આપી છે.
કોરોના કોઈ મોસમી બીમારી નથી : WHO
દરેક મોસમમાં ફેલાય છે આ વાયરસ : WHO
વાયરસ પર માણસનું નિયંત્રણ નથી પણ સંક્રમણ પર કાબૂ કરી શકાય : WHO
કોરોના વાયરસ મુદ્દે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરીથી દુનિયાને ચેતવણી આપી છે. WHOનું કહેવું છે કે લોકોને કોઈ પણ પ્રકારના ભ્રમમાં રહેવાની જરૂર નથી કે કોરોના વાયરસ મોસમી બીમારી છે અને મોસમ સાથે ઓછી થઇ જશે.
પ્રેસ બ્રિફિંગ દરમિયાન WHOના પ્રવક્તા માગરિટ હેરિસે કહ્યું કે કોરોના વાયરસની એક મોટી લહેર ચાલી રહી છે. તેમણે ચેતવણી આપી કે આ વાયરસ ઇન્ફ્લુએન્જાની જેમ મોસમ પ્રમાણે બદલાતી નથી. તેમણે ગરમીને લઈને પણ કહ્યું કે કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવી નહીં. આ સિવાય WHOએ હોંગકોંગમાં વધતા કોરોના વાયરસ કેસ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વાયરસ માણસોની કાબૂમાં નથી જોકે આપણે સાથે મળીને તેને ફેલાતો રોકી શકીએ છે.
ગરમીના મોસમમાં અમેરિકામાં વધતાં કોરોના કેસ પર ઈશારો કરતા તેમણે કહ્યું કે આપણે સતર્કતા સાથે નિયમોનું પાલન કરવાની જરૂર છે. વાયરસના વધતાં કેસને ધ્યાને રાખીને તેમણે કહ્યું કે આપણે સમજવું પડશે કે આ એક નવો વાયરસ છે જે અલગ જ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને વાયરસ દરેક મોસમમાં રહેશે. જે લોકો ફ્લૂની વેક્સીન લગાવી રહ્યા છે તેમને ચેતવણી આપતા WHO દ્વારા કહેવામાં આવ્યું કે જો પહેલેથી જ તમને શ્વાસની બીમારી હોય તો આ અત્યંત ખતરનાક હોઈ શકે છે.
નોંધનીય છે કોરોના વાયરસ જે રીતે ફેલાય છે તે જ રીતે કોરોનાને લઈને વિવિધ દાવાઓ અને અહેવાલો પણ વાયરલ થઇ રહ્યા છે. કોરોના વાયરસ સાથે મોસમને જોડીને પણ ઘણા બધા મીડિયા અહેવાલો બહાર આવ્યા હતા કે કોરોના વાયરસ ગરમીમાં ઓછો ફેલાશે અને ઠંડીમાં વધારે. એવામાં WHO એ ચેતવણી આપીને હવે આ બધા અહેવાલોને જાકારો આપી દીધો છે.