વિશ્વ સ્વાસ્થ સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિકનું કહેવું છે કે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય અને દવા કંપની એસ્ટ્રોજન દ્વારા વિકસિત કોરોના 19ની રસીનું પરિક્ષણ રોકાઈ જવાથી એજન્સી બહું ચિંતામાં નથી. ડૉક્ટર સોમ્યા સ્વામીનાથે ઓક્સફોર્ડના ક્લીનિકલ પરિક્ષણમાં આવેલી અડચણે દુનિયાને એ સમજવાની તક આપી છે કે અનુસંધાનમાં ઉતાર ચઢાવ આવતા જતા રહે છે.
તેમાં થોડાક સમય માટે રોગ સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ રહી છે
કે રસી લોકોને રોગથી બચાવવામાં સક્ષમ છે કે કેમ...
હજારો લાખો લોકો પર પરિક્ષણ કરવાની જરુર છે
સ્વામીનાથનનું કહેવું છે કે મનુષ્યો પર થયેલા અત્યાર સુધીના આંકડા ખુબ સારા છે. અને તેમાં થોડાક સમય માટે રોગ સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ રહી છે. તેમનું કહેવું છે કે રસી લોકોને રોગથી બચાવવામાં સક્ષમ છે કે કેમ તે નક્કી કરવા હજારો લાખો લોકો પર પરિક્ષણ કરવાની જરુર છે.
સ્વામીનાથને કહ્યું કે બની શકે કે આ વર્ષના અંત સુધીમાં પરિણામ આવે અથવા આવતા વર્ષે પરિણામ આવે. આપણે પરિણામ મેળવવા માટે થોડી ધીરજ રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડની રસીનું પરિક્ષણ દુનિયાભરમાં રોકી દેવામાં આવ્યું છે. અમેરિકા, બ્રાઝિલ, દ. આફ્રિકા, ભારત સહિત 60 લોકેશન પર આ ટીકાના ફેઝ -3નું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યુ હતુ.
બીજી તરફ ટ્રાયલ અટકી જવા છતાં AstraZeneca ના CEO પાસ્કલ સોરિયટને વેક્સીનને જલ્દી જ ઉપલબ્ધ કરાવવાની આશા છે. તેમણે કહ્યું કે રસી આ વર્ષના અંત અથવા આવનારા વર્ષની શરુઆતમાં આવી શકે છે. રસીનું પરિક્ષણ રોકવામાં આવ્યુ કેમ કે એક વોલેન્ટિયર પર ગંભીર પરિણામ જોવા મળ્યું છે. સોરિયટે કહ્યુ પરિક્ષણ રોકાવું એ રુટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે, ત્રીજા ચરણના ટ્રાયલમાં દુનિયાભરના 50 હજાર લોકોથી વધારે લોકોએ ભાગ લીધો છે.